મગજની આ જીવલેણ બીમારીનું નિદાન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, મૃત્યુ દર 40 ટકા વધ્યોઃ એન્સીફેલાઇટીસ ઇન્ટરનેશનલ
મુંબઈ, 25 ફેબ્રુઆરીઃ મગજમાં દાહ ઉત્પન્ન કરનારી પ્રાણઘાતક બીમારી- એન્સીફેલાઇટીસનું ખોટું નિદાન થવાને કારણે ઘણા લોકોના જાન જોખમમાં મુકાય છે. ભારતમાં હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, અડધાથી વધુ ઈમરજન્સી મેડિકલ પ્રોફેશનલ્સ એવા હતા જેઓ દર્દીમાં એન્સીફેલાઇટીસના લક્ષણો જણાવા છતાં આ રોગનું નિદાન કરી શક્યા નહોતા. જેમનો સર્વે કરાયો હતો તેમાંના મોટા ભાગના પ્રોફેશનલ્સ…
