આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ મહદ અંશે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે

65 ટકા એસેટ એલોકેશન સ્મોલકેપ કંપનીઓની ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં થશે

આ સ્કીમનો બેન્ચમાર્ક S&P BSE 250  સ્મોલ કેપ TRI રહેશે

સ્કીમ 21 નવેમ્બર, 2022નાં રોજ ખુલશે,

સ્કીમ 5 ડિસેમ્બર, 2022નાં રોજ બંધ થશે

14 ડિસેમ્બરથી સતત વેચાણ- પુનઃખરીદી માટે ફરીથી ખુલશે

મુંબઇ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (“મહિન્દ્રા ફાઈનાન્સ”) અને મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પ્રાઇવેટ લિમિટેડનું સંયુક્ત સાહસ મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડે તેની ન્યૂ ફન્ડ ઓફર (NFO)ની જાહેરાત કરી છે. મહિન્દ્રા મેન્યુલાઇફ સ્મોલ કેપ ફન્ડ નામની આ સ્કીમ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે મહદ અંસે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે. આ પ્રોડક્ટ એવાં રોકાણકારો યોગ્ય છે, જેઓ લાંબા ગાળે મૂડી વળતર ઇચ્છે છે અને સ્મોલ કેપ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી જામીનગીરીઓમાં રોકાણ કરે છે.

સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં લાંબા ગાળે સંપત્તિ સર્જન અને આલ્ફા જનરેશન (બેન્ચમાર્ક કરતાં પણ વધારે વળતર)ની સંભાવના છે, કારણ કે તે એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે ઉદ્યોગમાં માર્કેટ લીડર્સ બનવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે ધીમે ધીમે ભાવિ મિડકેપ્સ બનવાની સંભાવના ધરાવે છે. સામાન્ય રીતે તેનાં પર બહુ ઓછું રિસર્ચ થાય છે અને વાજબી વેલ્યુએશને શેર એકત્ર કરવાની તક પૂરી પાડે છે.

મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડના એમડી અને સીઇઓ એન્થોની હેરેડિયાએ જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્ર સુસજ્જ છે અને આગામી દાયકાઓમાં વિશ્વનાં અગ્રણી અર્થતંત્રોમાંનું એક બનવાની સંભાવના છે. આને કારણે અનેક નાની કંપનીઓ સમય જતાં મોટી બનવા આ સંભાવનાનો ઉપયોગ કરતી હોવાથી વિવિધ સેક્ટર્સ અને બિઝનેસમાં અભૂતપુર્વ તકો પૂરી પાડી શકે છે. આ પરિવર્તનનો લાભ લેવા માંગતા લાંબા ગાળાના રોકાણકારો માટે સ્મોલ કેપ ફન્ડો આદર્શ વિકલ્પ બની શકે તેમ છે અને તેથી રોકાણકારના પોર્ટફોલિયોનો મુખ્ય હિસ્સો હોવો જોઇએ. ડાઇવર્સિફાઇડ ફન્ડ રેન્જનાં અમારા ભૂતકાળનાં રેકોર્ડને જોતાં અમને લાગ્યું કે આ પ્રોડક્ટને બજારમાં લાવવાનો અને રોકાણકારો લાંબા ગાળે સંપત્તિ સર્જનની અપેક્ષા  પૂરી કરે તે માટે આ યોગ્ય સમય છે.