PSU બેન્કોનો નફો 22-23માં રૂ. 1 લાખ કરોડ થવાની ધારણા

નાણાકીય વર્ષ 2022-23માં, SBIનો ચોખ્ખો નફો 40 હજાર કરોડ રૂપિયા રહેવાની શક્યતા

નવી દિલ્હી, 10 એપ્રિલ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં બેન્કિંગ સેક્ટરના આંકડા આકર્ષક રહેવાની ધારણા સેવાય છે. નાણાકીય વર્ષ 2022-23માં જાહેર ક્ષેત્રની બેન્કોનો કુલ નફો રૂ. 1 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. બેડ લોનમાં ઘટાડો અને લોનમાં સારી વૃદ્ધિને કારણે બેન્કોની નફાકારકતા વધવાની શક્યતા છે. વરિષ્ઠ બેન્ક અધિકારીના જણાવ્યા અનુસાર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો ચોખ્ખો નફો માર્ચ 2023માં પૂરા થતા નાણાકીય વર્ષમાં 40,000 કરોડ રૂપિયા આસપાસ રહેવાની ધારણા સેવાય છે.

પીએસયુ બેન્ક શેર્સનો સોમવારનો દેખાવઃ એનએસઇ ખાતે

બેન્કLTPCHNG%CHNG52W H52W L
NIFTY PSU BANK ઇન્ડેક્સ3,714.50-23.50-0.634,617.402,283.85
MAHABANK26.10-0.05-0.1936.2515.00
BANKBARODA166.30-0.60-0.36197.2089.85
SBIN525.70-1.95-0.37629.55430.70
CANBK283.40-1.15-0.40341.70171.75
PNB47.00-0.20-0.4262.0028.05
UNIONBANK66.70-0.35-0.5296.4033.50
PSB26.10-0.15-0.5744.7513.00
IOB22.70-0.20-0.8736.7015.25
BANKINDIA75.45-1.30-1.69103.5040.40
CENTRALBK24.40-0.45-1.8141.8016.25
INDIANB283.25-5.40-1.87310.00137.05
UCOBANK24.85-0.60-2.3638.1510.55

(સ્રોતઃ એનએસઇ)

ગયા નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં બેન્કનો ચોખ્ખો નફો 33,538 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2021-22ના સમાન સમયગાળામાં બેન્કનો ચોખ્ખો નફો 31,575.98 કરોડ રૂપિયા હતો. જાહેર ક્ષેત્રના અન્ય ધિરાણકર્તાઓના આંકડા પણ પ્રોત્સાહક છે. નોન-પરફોર્મિંગ એસેટ્સ, ડબલ ડિજિટ ક્રેડિટ ગ્રોથ અને વ્યાજદરમાં વધારાને કારણે મજબૂત પ્રદર્શન જોવા મળી શકે છે.

અન્ય બેન્કો પણ સારું પ્રદર્શન કરે તેવો આશાવાદ

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ માસ દરમિયાન તમામ 12 જાહેર ક્ષેત્રની બેન્કોએ કુલ રૂ. 70,166 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે વર્ષ 2021-22ના પ્રથમ નવ માસની સરખામણીમાં 43 ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ માસમાં આ બેન્કોનો કુલ ચોખ્ખો નફો 48,983 કરોડ રૂપિયા હતો.

ચોથા ક્વાર્ટરમાં બેન્કનો નફો રૂ. 30000 કરોડે પહોંચવાની ધારણા

પંજાબ એન્ડ સિંધ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સ્વરૂપ કુમાર સાહાએ જણાવ્યા અનુસાર આ ટ્રેન્ડ ચોથા ક્વાર્ટરમાં પણ ચાલુ રહેશે. તે સંભવ છે કે જાહેર ક્ષેત્રની બેન્કો ચોથા ક્વાર્ટરમાં રૂ. 30,000 કરોડનો ચોખ્ખો નફો કરશે અને આ રીતે નાણાંકીય રોકાણ કરશે. વર્ષ 2022-23માં ચોખ્ખો નફો એક લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. તમામ PSBsએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 15,306 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે વધીને રૂ. 25,685 કરોડ થઈ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે વધીને રૂ. 29,175 કરોડ થયો હતો. પંજાબ નેશનલ બેન્ક સિવાય, ડિસેમ્બર ક્વાર્ટરમાં અન્ય તમામ જાહેર ક્ષેત્રની બેન્કોના ચોખ્ખા નફામાં ઉછાળો જોવા મળ્યો હતો.