ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો
નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…
