નવી દિલ્હી: દેશના એગ્રીટેક સેક્ટરને કેન્દ્રીય બજેટ 2023થી ઘણી આશાઓ છે. એગ્રીટેક સેક્ટરના એક્ઝિક્યુટિવનું માનવું છે કે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટમાં ટેક્સમાં છૂટ અને સસ્તી લોન આપીને દેશના કૃષિ ક્ષેત્રને મદદ કરી શકે છે. કોરોના ક્રાઇસિસ દરમિયાન કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ વિકાસ દર નોંધાવ્યો હતો. એગ્રીટેક સેક્ટરને આશા છે કે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ એગ્રીટેક સેક્ટરને મદદ કરીને દેશના કૃષિ ક્ષેત્રના વિકાસને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એગ્રીટેક સેક્ટરના એક્ઝિક્યુટિવનું કહેવું છે કે બજેટમાં એગ્રીટેક સેક્ટર માટે કરવામાં આવેલી વિશેષ જોગવાઈને કારણે આ બિઝનેસમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે. આ સાથે ખેડૂતોને હવામાન પરિવર્તનના કારણે પાકના નુકસાનને ઘટાડવામાં મદદ થશે. બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશના ખેડૂતો અને એગ્રીટેક સેક્ટરને ઘણી મદદ કરી શકે છે.

વેરહાઉસ મેનેજમેન્ટને મજબૂત બનાવવું જરૂરી

વેરહાઉસ મેનેજમેન્ટને અસરકારક બનાવવા અને તેના માટે નાણાકીય ઉપલબ્ધતા વધારવાથી ખેડૂતોને તેમની કૃષિ પેદાશોને બચાવવામાં મદદ મળશે. ભારતમાં ખેતી કર્યા પછી પાકનું મોટું નુકસાન થાય છે, તેની સાથે પાકને બચાવવા માટેના પગલાંના અભાવે ખેડૂતોને ઉતાવળમાં તેમની ઉપજ વેચવી પડે છે, જેના કારણે તેમને તેના યોગ્ય ભાવ મળતા નથી. આ કારણે, કાપણી પછીના માળખાકીય સુવિધાઓની ઘણી જરૂરિયાત અનુભવાઈ રહી છે.

એગ્રીટેક સેક્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન

દેશમાં હજુ પણ પ્રોસેસિંગ સાધનો, સ્ટોરેજ ફેસિલિટી અને સ્ટોરેજ વગેરેની અછત છે, જેના કારણે ઘણી બધી કૃષિ પેદાશો ગુમાવવી પડે છે. એગ્રીટેક પ્લેટફોર્મ ઉન્નતિના સીઈઓ અશોક પ્રસાદે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ (Budget2023)માં નાણામંત્રી ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેશે. કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાથી ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. સરકાર બજેટ 2023માં એગ્રીટેક સેક્ટરમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે નિયમો હળવા કરી શકે છે.