મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ વેલ્યુ ફંડ લોંચ કર્યું
મુંબઇ, 6 ફેબ્રુઆરી: મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ વેલ્યુ ફંડ રજૂ કર્યું છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ વેલ્યુ ઇન્વેસ્ટિંગ અભિગમ દ્વારા લાંબાગાળે વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો માટે ડિઝાઇન કરાઇ છે. આ ફંડનો ઉદ્દેશ્ય મૂળભૂત રીતે મજબૂત છતાં ઓછું મૂલ્ય ધરાવતી કંપનીઓની ઓળખ કરીને તેમાં રોકાણ કરવાનો છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ એન્થની હરેડિયાએ આ ઓફરિંગની સુસંગતતા ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, આ ઓફર માર્કેટની તકોનો લાભ ઉઠાવતાં મજબૂત પોર્ટફોલિયોની રચના કરવા ઇચ્છુક રોકાણકારો માટે આદર્શ છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ વેલ્યુ ફંડનો રોકાણ અભિગમ બોટમ-અપ સ્ટોક પસંદગીને તેમના ઐતિહાસિક મૂલ્યાંકન ગુણાંકથી નીચે ટ્રેડિંગ કરતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફંડ માર્કેટ કેપિટલાઇઝેશનમાં પોર્ટફોલિયો ફાળવણીનું સક્રિયપણે સંચાલન કરશે, મજબૂત રોકડ પ્રવાહ અને સંચાલન કાર્યક્ષમતા સાથે ગુણવત્તાયુક્ત વ્યવસાયોની ઓળખ માટે મૂળભૂત મૂલ્યાંકનનો ઉપયોગ કરશે.
ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 07 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૂલશે અને 21 ફેબ્રુઆરી, 2025 સુધી સબસ્ક્રિપ્શન વિન્ડો ખૂલી રહેશે. આ ફંડ સેલ અને રિપર્ચેઝ માટે 5 માર્ચ, 2025થી ફરીથી ખૂલશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)