મર્જર હેઠળ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેરધારકો દર 2000 ઈક્વિટી શેર્સ સામે એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના 579 ઈક્વિટી શેર્સ મેળવવા પાત્ર થશે

મુંબઈ, 6 માર્ચ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (“Fincare SFB”) અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (“AU SFB”)ના મર્જરને મંજૂરી આપી છે. એયુ SFB અને ફિનકેર SFBના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 29 ઓક્ટોબર, 2023ના રોજ મર્જરને મંજૂરી આપી હતી. બાદમાં 24 અને 27 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલી બેઠકમાં સંબંધિત શેરધારકો દ્વારા સ્કીમ ઓફ અમાલ્ગમેશનને મંજૂરી મળી હતી. ત્યારબાદ કોમ્પિશિન કમિશન ઓફ ઈન્ડિયા(“CCI”) દ્વારા કોમ્પિટિશન એક્ટ, 2002ની કલમ 31(1) હેઠળ 23 જાન્યુઆરી, 2024ના રોજ મર્જર સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી.

RBIની મંજૂરી સાથે ફિનકેર SFB 1 એપ્રિલ, 2024થી એયુ SFBમાં મર્જ થશે. જે અંતર્ગત શેર સ્વેપ રેશિયો આધારિત ફિનકેર SFBના શેરધારકોને એયુ SFBના શેર્સ પ્રાપ્ત થશે. ફિનકેર SFBના તમામ કર્મચારીઓ 1 એપ્રિલથી એયુ SFB પરિવારનો ભાગ બનશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)