સ્ટર્લાઇટ પાવરે ગુજરાતમાં ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો
નવી દિલ્હી, 7 માર્ચ: પાવર ટ્રાન્સમિશન કંપની સ્ટર્લાઇટ પાવરે લકડિયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ લિમિટેડ (એલવીટીપીએલ)ને સફળતાપૂર્વક શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભૂજ અને કચ્છના રિન્યૂએબલ સમૃદ્ધ વિસ્તારોમાંથી 5000 મેગાવોટથી વધારે વીજળીનો પુરવઠો રાષ્ટ્રીય ગ્રીડને પ્રદાન કરવાનો છે. રૂ. 2,024 કરોડના રોકાણ સાથે નિર્મિત આ આંતર-રાજ્ય ટ્રાન્સમિશન જોડાણ 335 કિલોમીટરની લંબાઈ ધરાવતી 765 કિલોવોટ…
