ફાજલ લાખ રૂપિયામાંથી માત્ર 10 હજાર જ શેરમાં ઇન્વેસ્ટ કરો
મૂડીરોરાણ માર્ગદર્શન માટે આવતાં 100માંથી 99 રોકાણકારો એવો સવાલ પૂછતાં હોય છે કે, શેરબજારમાં રોકાણ કરાય કે નહિં…?!! તેમાંથી 20-25 રોકાણકારો શેરબજારમાં રોકાણ માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. 22-23 રોકાણકારો રોકાણના બદલે ડે-ટ્રેડિંગ અને ફ્યુચર- ઓપ્શન ઊર્ફે સટ્ટાના રવાડે ચડીને આંગળા દઝાડીને ગામમાં અફવા ફેલાવે કે શેરબજાર એટલે નર્યો સટ્ટો, એમાં આપણાં જેવાનું કામ નહિં…….
