સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો, યુએસ ડોલરની તુલનામાં…
