અદાણી જૂથનું દેવું એક વર્ષમાં 21 ટકા વધ્યું, સામે ચૂકવણી ક્ષમતામાં પણ વધારો થયો

નવી દિલ્હી, 18 એપ્રિલઃ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ પર દેવું ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 1 વર્ષમાં અદાણી ગ્રુપ પરનું દેવું 21 ટકા વધ્યું છે. લોન આપતી વૈશ્વિક બેન્કોની ભાગીદારી લગભગ એક તૃતીયાંશ થઈ ગઈ છે. જોકે, અદાણી જૂથ પર દેવું વધવાથી દેવું ચૂકવવાની ક્ષમતામાં સુધારો પણ થયો છે.

અદાણી જૂથના નાણાકીય સ્થિતિ અંગે બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે અદાણી જૂથ પર એક વર્ષમાં દેવું 21 ટકા વધ્યું છે. રિપોર્ટ અનુસાર, માર્ચ ક્વાર્ટરના અંતે અદાણી જૂથે વૈશ્વિક બેન્કો પાસેથી 29 ટકા લોન લીધી હતી. 7 વર્ષ પહેલા સુધી અદાણી ગ્રૂપને લોન આપનારી બેન્કોની યાદીમાં વૈશ્વિક બેન્કો સામેલ નહોતી.

અદાણી ગ્રૂપની લિસ્ટેડ 7 મુખ્ય કંપનીઓનું દેવું માર્ચના અંતે 20.7 ટકા વધીને રૂ. 2.3 લાખ કરોડ થયું છે. અદાણી ગ્રૂપના લોનમાં બોન્ડ્સનો હિસ્સો 39 ટકા છે, જે 2016માં માત્ર 14 ટકા હતો. વૈશ્વિક બેન્કો ઉપરાંત, અદાણી જૂથનું દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક SBIની લોન પણ બાકી છે. અદાણી જૂથ પાસેથી એસબીઆઈના રૂ. 270 અબજ બાકી લોન છે.

દેવું ચૂકવવાની ક્ષમતા પણ વધી

રિપોર્ટ અનુસાર અદાણી જૂથ પર દેવું વધવાની સાથે દેવું ચૂકવવાની ક્ષમતામાં પણ સુધારો થયો છે. અદાણી ગ્રુપનો બિઝનેસ ગુજરાતમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયેલ સુધી ફેલાયેલો છે. ઇન્ટરનેશનલ લેવલે બિઝનેસ કરવાને કારણે અદાણી ગ્રુપ પર મોનિટરિંગ પણ વધ્યું છે. ગયા જાન્યુઆરીમાં, યુએસ સ્થિત શોર્ટ સેલર કંપની હિન્ડેનબર્ગે અદાણી જૂથ પર મોટા પાયે છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો, જેના કારણે જૂથના શેરમાં ભારે ઘટાડો થયો હતો. હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગ્રુપને $100 અબજનું નુકસાન થયું છે.