અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે ) તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નવી ટ્રાન્સમિશન લાઈનો કાર્યરત થવાને કારણે અને ઊર્જાની માંગમાં હકારાત્મક વલણને કારણે નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવકમાં વર્ષવાર બે આંકડાની ૧૬% વૃદ્ધિ જોવા મળી. ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA વધીને રૂ. ૧,૩૧૮ કરોડ થયો. વિત્ત વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં, રુ. ૪૭૮ કરોડનો એકીકૃત PAT વાર્ષિક ધોરણે ૭૩% વધુ હતો.આ વધારો મુખ્યત્વે નિયમનકારી હુકમમાંથી એક વખતની આવક દ્વારા આવ્યો હતો. આ સમય ગાળામાં રૂ ૯૫૫ કરોડનો એકીકૃત રોકડ નફો વાર્ષિક ધોરણે ૩૪% વધ્યો હતો.

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, “ATL સતત વિકસિત થઈ રહ્યું છે અને તે અગાઉથી જ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રબ્યુશન ક્ષેત્રમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી રહયું છે. પડકારજનક મેક્રોઇકોનોમિક વાતાવરણ હોવા છતાં પણ કંપનીની વૃદ્ધિનો માર્ગ મક્કમ છે.

એકીકૃત નાણાકીય ગતીવિધી

Particulars(Rs Crore)Q3FY23Q3FY22Change YoY %
Revenue3,0372,62315.8%
EBITDA1,3181,16812.9%
Total EBITDA1,7081,32528.9%
PAT47827772.8%
EPS (Rs) 4.261.85130.2%
Cash Profit95571433.8%

ત્રીજા ક્વાર્ટરની નાણાકીય ગતિવિધી (yoy

  • એકીકૃત આવક ૧૬ ટકા વધીને રૂ.,૦૩૭ કરોડ થઈ
  • એકીકૃત ઓપરેશ્નલ EBITDA(1)   રૂ.,૩૧૮ કરોડ
  • EBITDA ૭% વધી રુ. ૪,૩૯૫ કરોડ  
  • એકીકૃત રોકડ નફો ૭ ટકા વધીને રૂ.૨૪૩૩ કરોડ થયો
  • રૂ.૪૭૮ કરોડના કોન્સોલિડેટેડ PAT એ ૭૩% નો મજબૂત ઉછાળો
  • એકીકૃત રોકડ નફામાં ૩૪% વધારા સાથે રુ.૯૫૫ કરોડ