સુરતઃ ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલ્ટી કેમિકલ કંપની પૈકીની એક અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (BSE- 543275, NSE- ANURAS, ISIN: INE930P01018)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. Anupam Rasayanની કુલ આવકો ડિસેમ્બર ત્રિમાસિકમાં 43 ટકા વધી રૂ. 388.8 કરોડ થઈ છે. જે ગતવર્ષે 271.1 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો નફો ગતવર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 37.9 કરોડ સામે 44 ટકા વૃદ્ધિ સાથે રૂ. 54.4 કરોડ નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં અનુપમ રસાયણની EBITDA ₹108 કરોડ રહેવા સાથે ગતવર્ષે રૂ. 80 કરોડ સામે 35 ટકા વધી છે. અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ કહ્યું હતું કે, “ત્રિમાસિક ગાળા દરમિયાન ચોક્કસ ક્ષમતાઓની અનુપલબ્ધતા હોવા છતાં અમે વાર્ષિક ધોરણે વૃદ્ધિ પ્રદાન કરી શક્યાં છીએ. જો તમે ઉત્પાદન ક્ષમતાની ખેંચને કારણે આવકમાં ફરકને એડજસ્ટ કરો, તો અમારી વૃદ્ધિ ત્રિમાસિક ગાળા દરમિયાન આશરે 25 ટકા રહેશે. તમામ નિયમનકારી અને સલામતીના નીતિનિયમનોનું પાલન કર્યા પછી જીપીસીબી અને અન્ય નિયનમનકારક સત્તામંડળો પાસેથી પ્લાન્ટ ફરી શરૂ કરવાની મંજૂરી મેળવી છે. આ ઉત્પાદન અને સલામતીના ધારાધોરણોને ઉચ્ચ સ્તરે જાળવવા અને નીતનિયમોનં પાલન કરવા પર અમારા સતત ધ્યાનને દર્શાવે છે, જે અમને ટૂંકા સમયગાળામાં ઓર્ડર પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે. સંપર્ણપણે અમારા ઉત્પાદનોની મજબૂત પાઇપલાઇન, ક્ષમતાની ઉપલબ્ધતા, વિવિધ ક્લાયન્ટ સાથે વાટાઘાટનો આગામી તબક્કો, મૂડીગત ખર્ચ સાથે અમે અમારી યોજનામાં અગ્રેસર છીએ. અમને ખાતરી છે કે, અમે આગામી ત્રિમાસિક ગાળાઓ અને વર્ષોમાં સતત વૃદ્ધિ પ્રદાન કરીશું. અનુપમ રસાયણનો શેર 0.72 ટકા ઘટાડા સાથે 595.45 બંધ રહ્યો છે. ઈન્ટ્રા ડે 614.80 હાઈ અને 590.15ની બોટમ બનાવી હતી.