મુંબઈ, 28 ઑગષ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી હતી. તેમની નિમણૂક શેરધારકોની મંજૂરી પછી તેઓના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે.

નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીતા અંબાણીનું બોર્ડના ડિરેક્ટરપદેથી રાજીનામું સ્વીકાર્યું હતું અને રિલાયન્સ ફાઉન્ડેશન (RF)ને ભારત માટે વધુ અસર બનાવવા માટે માર્ગદર્શન આપવા અને સક્ષમ બનાવવા માટે તેમની શક્તિ અને સમય ફાળવવાના તેમના નિર્ણયને માન આપ્યું હતું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીતા અંબાણીની રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન તરીકે તેમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. વર્ષોથી, RF એ ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઓછા સંસાધન ધરાવતા સમુદાયોના પોષણ અને સશક્તિકરણના તેના મિશનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે, નીતા અંબાણી RIL બોર્ડની તમામ બેઠકોમાં બોર્ડના કાયમી આમંત્રિત તરીકે હાજરી આપશે.

ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી છેલ્લાં કેટલાક વર્ષોથી રિટેલ, ડિજિટલ સેવાઓ અને એનર્જી અને મટીરીયલ વ્યવસાયો સહિત RILના મુખ્ય વ્યવસાયો સાથે નજીકથી સંકળાયેલા છે. તેઓ RILની મુખ્ય સહયોગી કંપનીઓના બોર્ડમાં પણ સેવા આપે છે.