અમદાવાદઃ હિંડનબર્ગ રિસર્ચના તા.૨૪ જાન્યુઆરીના અહેવાલ અંગે અદાણી જૂથે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મલિન ઇરાદાઓ ધરાવતા કોઇ સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ, અમારા શેરધારકો અને રોકાણો વિપરીત અસર અને નુકશાન કર્યું છે. આ અહેવાલે ભારતીય શેર બજારમાં સર્જેલી અસ્થિરતા એક ગંભીર ચિંતાનો વિષય છે અને ભારતીય નાગરિકોને અનિચ્છનીય પિડાદાયક સ્થિતિમાં મૂકવા તરફ દોર્યો છે. સ્પષ્ટીતે  આ અહેવાલની આધાર અને તથ્યહિન સામગ્રી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના મૂલ્યો પર હાનિકારક અને ના ભૂંસી શકાય તેવી અસર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી કારણ કે હિંડનબર્ગ રિસર્ચે ખુદે સ્વીકાર્યું છે કે તેમના દ્વારા અદાણીના શેરમાંથી નજીવો લાભ મેળવવા માટેની તેઓ સ્થિતએ છે. [“અમે યુએસ-ટ્રેડેડ બોન્ડ્સ અને નોન-ઇન્ડિયન-ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ, અન્ય નોન-ઇન્ડિયન-ટ્રેડેડ રેફરન્સ સિક્યોરિટીઝ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓમાં નજીવું સ્થાન ધરાવીએ છીએ.”] 

રોકાણકાર સમુદાય અને સામાન્ય નાગરિકોને ગેરમાર્ગે દોરવાના, અદાણી સમૂહ અને તેના અગ્રણીઓની ઉદાર ભાવના  અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ  (FPO) ને જફા પહોંચાડવાનો આ વિદેશી સંસ્થા દ્વારા કરવામાં આવેલા દ્વેષપૂર્ણ અને અવિચારી પ્રયાસથી અમે ખૂબ જ વ્યથિત છીએ.

અમે યુએસ અને ભારતીય કાયદા હેઠળ હિંડનબર્ગ રિસર્ચ સામે પ્રતિકારક અને શિક્ષાત્મક કાર્યવાહી માટે સંબંધિત જોગવાઈઓનું મૂલ્યાંકન અને અભ્યાસ કરી રહ્યા છીએ એમ અદાણી ગૃપના કાનૂન વિભાગના વડા જતીન જલુંધવાલાએ જણાવ્યું છે.