પતંજલિના MD બાલકૃષ્ણએ ભ્રામક જાહેરાતો પર સુપ્રિમ કોર્ટની નોટિસ બાદ બિનશરતી માફી માગી
અમદાવાદ, 21 માર્ચઃ પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ 21 માર્ચે કંપનીના ઉત્પાદનોની અસરકારકતા વિશે ભ્રામક જાહેરાતો જારી કરવા અને આધુનિક દવાઓની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવવા બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી છે. બાલકૃષ્ણ અને કંપનીના કો-ફાઉન્ડર યોગ ગુરુ રામદેવની કંપનીએ તેના ઉત્પાદનો અને તેમની ઔષધીય અસરકારકતાની જાહેરાત કરવા અંગે આપેલા બાંયધરીનું પાલન…
