
અમદાવાદ, 8 જૂન: મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ (એમઓએમએફ) એ તેના નવા ફંડ ઓફર (એનએફઓ), મોતીલાલ ઓસ્વાલ બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સ ફંડના રજૂ કરવાની જાહેરાત કરી છે, જે બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સને અનુસરતું/ટ્રેકિંગ કરતું ઓપન-એન્ડેડ ફંડ છે. એનએફઓ શુક્રવાર, 5 જૂન, 2026 ના રોજ ખુલે છે અને શુક્રવાર, 19 જૂન, 2026 ના રોજ બંધ થાય છે.
આ ફંડ બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જે સ્વચ્છ અર્થતંત્ર (ક્લીન ઇકોનોમી) ને આધારે ખાસ તૈયાર કરાયેલો ભારતનો પ્રથમ વૈવિધ્યસભર (ડાયવર્સિફાઇડ) ઇન્ડેક્સ છે. તે રોકાણકારોને પાંચ પરિવર્તનશીલ થીમમાં ભાગ લેવા માટે એક સિંગલ, પેસિવ માધ્યમ પૂરું પાડે છે: રીન્યુએબલ (નવીનીકરણીય ઉર્જા), ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી), વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ; આ તમામ ભારતની ઉર્જા સંક્રાંતિ (એનર્જી ટ્રાન્ઝિશન), પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓ અને લાંબા ગાળાના આર્થિક વિકાસના કેન્દ્રમાં છે.
એનએફઓ શુક્રવાર, 5 જૂન, 2026 ના રોજ ખુલશે અને શુક્રવાર, 19 જૂન, 2026 ના રોજ બંધ થશે
આ એનએફઓ પારદર્શક, નિયમો આધારિત પેસિવ વ્યૂહરચના દ્વારા રોકાણકારોને આ માળખાકીય પરિવર્તનનો લાભ આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સ સ્વચ્છ અર્થતંત્રની વેલ્યુ ચેઇનમાં આશરે 25 કંપનીઓને આવરી લે છે, જેમાં રીન્યુએબલનો હિસ્સો ઇન્ડેક્સ વેઇટેજમાં આશરે 86% છે અને બાકીનું વેઇટેજ ઈવી, વોટર, રિસાયકલિંગ અને વેસ્ટ વચ્ચે વહેંચાયેલું છે.
આ લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં, મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના પેસિવ બિઝનેસના વડા પ્રતિક ઓસ્વાલે જણાવ્યું હતું કે, ભારત તેલ અને કોલસાની આયાત પર વર્ષે $150 બિલિયન ખર્ચ કરે છે, અને તે મૂડી હવે દેશમાં સોલાર, ઈવી અને સ્વચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તિત થઈ રહી છે. મજબૂત સરકારી નીતિના પીઠબળ સાથે, આ દાયકાની સૌથી મોટી આર્થિક તકોમાંની એક છે. મોતીલાલ ઓસ્વાલ બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને આ પરિવર્તનમાં ભાગ લેવાની અને ભારતના ટકાઉ (સસ્ટેનેબલ) ભવિષ્યમાં હિસ્સો મેળવવાની એક સરળ, ઓછી કિંમતની તક આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

