અમદાવાદ, 10 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ સ્કીમ છે જે ગોલ્ડ અને સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)ના યુનિટ્સમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) સબ્સ્ક્રીપ્શન માટે 10 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને 22 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે. એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ રોકાણકારોને એક જ સિંગલ રોકાણ સાધન દ્વારા મૂલ્ય સાચવવા માટે વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત બે ધાતુઓ એવી સોના અને ચાંદીના પર્ફોર્મન્સમાં ભાગ લેવાનો સુગમ અને પારદર્શક માર્ગ પૂરો પાડે છે. આ સ્કીમ ગોલ્ડ ઈટીએફ અને સિલ્વર ઈટીએફમાં મુખ્યત્વે રોકાણ કરશે જે બંને કોમોડિટીઝમાં સંતુલિત ફાળવણી ઓફર કરશે.

પોર્ટફોલિયોમાં કોમોડિટીઝ શા માટે જરૂરી:

સોના અને ચાંદી જેવી કોમોડિટીઝે ઐતિહાસિક રીતે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોમોડિટીઝ ઘણીવાર પરંપરાગત એસેટ ક્લાસ સાથે ઓછો સહસંબંધ દર્શાવે છે, જે તેમને ફુગાવા, ચલણના અવમૂલ્યન અને બજારની અસ્થિરતા સામે અસરકારક હેજ બનાવે છે. સોનાને વ્યાપકપણે સેફ-હેવન એસેટ તરીકે ગણવામાં આવે છે, જ્યારે ચાંદી નાણાંકીય મૂલ્યને ઔદ્યોગિક માંગ સાથે જોડે છે, જે લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચનાઓ માટે એક અનન્ય પરિમાણ ઉમેરે છે.

એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ

એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ સ્કીમ તરીકે બનાવવામાં આવી છે જે મુખ્યત્વે ગોલ્ડ ઈટીએફ અને સિલ્વર ઈટીએફના યુનિટમાં રોકાણ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે રોકાણકારો એક જ પ્રોડક્ટમાં બંને ધાતુઓમાં રોકાણ મેળવી શકે. આ સ્કીમ સોના અને ચાંદીના સ્થાનિક ભાવ સામે સમાન પ્રમાણમાં (50:50) તેના પર્ફોર્મન્સને બેન્ચમાર્ક કરશે, જે તેના સંતુલિત અભિગમને દર્શાવે છે. સુલભતા આ ફંડની મુખ્ય વિશેષતા છે કારણ કે એનએફઓ દરમિયાન લઘુત્તમ અરજીની રકમ માત્ર રૂ. 100 છે, જે તેને વિશાળ શ્રેણીના રોકાણકારો માટે યોગ્ય બનાવે છે. (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)આદિત્ય પગારિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.