અમદાવાદ, 29 એપ્રિલઃ વિદેશી નાણાકીય સંસ્થાઓની આક્રમક વેચવાલીને ખાળવામાં સફળ રહેલા ભારતીય શેરબજારોને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સનો સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. ફંડ્સે 2025માં 4.93 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યા પછી 2026માં અત્યાર સુધીમાં 1.57 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. તેની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે, 2025માં 1.66 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યા પછી 2026માં 1.56 લાખ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કર્યું હોવાનું નોંધાયું છે.

મ્યુચ્યુઅલ ફંડ્સે વિદેશી રોકાણકારોના વેચાણને શોષીને ભારતીય બજારોને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હોવા છતાં, તેઓ છેલ્લા સતત 4 ક્વાર્ટરથી પસંદગીના શેરોમાં હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા લગભગ 30 શેરોમાં સતત વેચાણ જોવા મળ્યું છે.

સૌથી મોટા ઘટાડામાં, KNR કન્સ્ટ્રક્શન્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો, ત્યારબાદ કોનકોર્ડ એન્વિરો સિસ્ટમ્સ અને નઝારા ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. સતત વેચવાલી જોવા મળતા અન્ય શેરોમાં GE Vernova T&D India, United Foodbrands, Praj Industries, Bosch Home Comfort India, NRB Bearings, JNK India, Gateway Distriparks, Zaggle Prepaid Ocean Services, TD Power Systems, Route Mobile, Dee Development Engineers, RK Swamy, Nirlon, Sterling and Wilson Renewable Energy, Taj GVK Hotels, Quadrant Future Tek, Unicommerce eSolutions, Mahindra Holidays and Resortsનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)