અમદાવાદ, 28 મેઃ પુષ્પ બ્રાન્ડ (ઈન્ડિયા) લિમિટેડે તેના સૂચિત આઈપીઓ માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

આ ઇશ્યૂમાં સુરેન્દ્ર કુમાર સુરાના અને મહેન્દ્ર કુમાર સુરાના (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) તેમજ એ91 ઇમર્જિંગ ફંડ 1 એલએલપી અને સિક્સ્થ સેન્સ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ 3 (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર) સહિતના હાલના શેરધારકો દ્વારા 74,45,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

એ91 ઇમર્જિંગ ફંડ 1 એલએલપીએ વર્ષ 2020માં કંપનીમાં અંદાજે રૂ. 125 કરોડનું રોકાણ કર્યું હતું અને હાલમાં તે કંપનીમાં 20.14 ટકા હિસ્સો ધરાવે છે. આ ઓફર હેઠળ તે પોતાની હિસ્સેદારીનો માત્ર એક ભાગ વેચી રહી છે. તેવી જ રીતે, સિક્સ્થ સેન્સ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ 3એ વર્ષ 2023માં અંદાજે રૂ. 101 કરોડનું રોકાણ કર્યું હતું અને તે કંપનીમાં 7.81 ટકા હિસ્સો ધરાવે છે. તે પણ વેચાણ માટેની ઓફરના ભાગરૂપે પોતાની હિસ્સેદારીનો માત્ર એક ભાગ વેચશે.

નાણાંકીય વર્ષ 2026 દરમિયાન મસાલા કેટેગરીમાં કંપનીનો પુનઃખરીદીનો દર 95 ટકાથી વધુ રહ્યો હતો, જ્યારે અન્ય પ્રોડક્ટ્સ માટે તે 83 ટકાથી વધુ રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2025માં મૂલ્યના આધારે 20.7 ટકા બજાર હિસ્સા સાથે કંપની મધ્ય પ્રદેશની અગ્રણી મસાલા બ્રાન્ડ બની છે. ઉપરાંત, અંદાજે 58 ટકા બજાર હિસ્સા સાથે તે રાજ્યની સૌથી મોટી પેકેજ્ડ હિંગ બ્રાન્ડ પણ છે.

31 માર્ચ, 2026ના રોજ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કુલ 312 એસકેયુ સામેલ હતા, જેમાં શુદ્ધ મસાલા, બ્લેન્ડેડ મસાલા અને અન્ય પ્રોડક્ટ્સની કેટેગરીનો સમાવેશ થાય છે.

પુષ્પ ઇન્દોર ખાતે સંપૂર્ણપણે ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ ચલાવે છે, જેની કુલ સ્થાપિત ઉત્પાદન ક્ષમતા દર વર્ષે 60,000 મેટ્રિક ટન છે. આ સુવિધાઓમાં ઇન્ટિગ્રેટેડ કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસિંગ સુવિધાઓ અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. ક્ષમતા વધારવા માટે કંપની ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ વિસ્તરણ હાથ ધરી રહી છે. પ્રથમ તબક્કામાં વર્ષ 2028 સુધી એક ઇન્ટિગ્રેટેડ સ્ટોરેજ ફેસિલિટી ચાલુ કરવાની યોજના છે, ત્યારબાદ વર્ષ 2029 સુધી શુદ્ધ મસાલા માટે ગ્રાઇન્ડિંગ અને મિલિંગ લાઇન ઉમેરવાની યોજના છે.

કંપનીની ઓપરેશન્સમાંથી આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ. 3,982.43 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 4,819.41 મિલિયન થઈ હતી. જ્યારે આ વર્ષ માટેનો પુનઃસ્થાપિત નફો નાણાંકીય વર્ષ 2024માં રૂ. 333.30 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 589.54 મિલિયન થયો હતો. કંપનીનું પ્રોડક્ટ માર્જિન નાણાંકીય વર્ષ 2024ના 31.91 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2026માં 37.76 ટકા થયું હતું અને તેમાં 19.67 ટકાનો સીએજીઆર નોંધાયો હતો. ઉપરાંત, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ખર્ચ નિયંત્રણ પર સતત ધ્યાન આપવાના લીધે કંપનીના ઓપરેટિંગ પ્રદર્શનમાં સુધારો થયો છે. એબિટા નાણાંકીય વર્ષ 2024ના રૂ. 494.97 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 841.90 મિલિયન થઇ હતી, જેમાં 30.42 ટકાનો સીએજીઆર નોંધાયો હતો.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)