Zydus Lifesciencesના ચેરમેન પંકજ પટેલને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો

નવી દિલ્હી, 29 એપ્રિલઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સોમવારે ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. પ્રેરણાદાયી ઉદ્યોગસાહસિક દ્રષ્ટિકોણ અને નવીનતાના અવિરત પ્રયાસ સાથે, પંકજ પટેલ lifesciencesમાં ભારતની ક્ષમતાઓને પાથરોહક સંશોધન દ્વારા આગળ વધારી રહ્યા છે જે લોકોને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન જીવવા માટે સશક્ત બનાવે છે.