મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મે 2018માં કથિત કો-લોકેશન ટ્રેડિંગ કૌભાંડના સંબંધમાં નોંધાયેલા કેસમાં મોટી રાહત આપી છે. Sebiએ કો-લોકેશન કેસમાં એનએસી દ્વારા ચૂકવવામાં થતી પેનલ્ટીની રકમમાં ઘટાડો કર્યો છે. આ કેસમાં એનએસઈ દ્વારા રહેલી ખામીઓ માટે ₹100 કરોડનો દંડ ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ સાથે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)એ સોમવારે NSE કો-લોકેશન કેસમાં ₹625 કરોડના ડિસગોર્જમેન્ટ ઓર્ડરમાં ઘટાડો કર્યો હતો. તેના બદલે, NSEને ડ્યૂ ડિલિજન્સ મોરચે તેની નિષ્ફળતા માટે સેબીના ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાં રૂ. 100 કરોડ જમા કરાવવા આદેશ કર્યો છે. ઓર્ડરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કો-લોકેશન કેસમાં સ્ટોક એક્સચેન્જે કોઈ ગેરકાયદેસર ફાયદો કર્યો નથી. 2019માં, સેબીએ NSE અને તેના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ્સ, ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ સામે અનેક આદેશો પસાર કર્યા હતા. જેના પર એક્સચેન્જની બેદરકારીના કારણે અમુક હાઈ ફ્રિકન્સી ટ્રેડર્સે એક્સચેન્જના અમુક નેટવર્ક સર્વરનો ઉપયોગ કરી ગેરરીતિઓ આચરી હોવાનો આરોપ મૂક્યો હતો.

સેબીએ NSEને ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાં વ્યાજ સહિત લગભગ ₹1,100 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો અને તેને છ મહિના માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાં એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને રદ્દ કરવામાં આવ્યો છે. તદુપરાંત સેબીએ નારાયણ અને રામકૃષ્ણન સંબંધિત આ સમયગાળા દરમિયાન મળેલા પગારના 25% પરત કરવાનો નિર્દેશ પણ રદ્દ કર્યો છે. ટ્રિબ્યુનલે એનએસઈના બોસ રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણના પગારની આંશિક છૂટછાટ માંગતો સેબીનો આદેશ રદ કર્યો હતો.

ચિત્રા રામકૃષ્ણ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ

વધુમાં ચિત્રા રામકૃષ્ણને કોઈપણ લિસ્ટેડ કંપની અથવા માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા અથવા અન્ય કોઈપણ બજાર મધ્યસ્થી સાથે પાંચ વર્ષ માટે જોડાણ કરવા પર પ્રતિબંધ મૂકતો નિર્દેશ ફગાવવામાં આવ્યો છે. ફરી તપાસ હાથ ધરી આદેશો આપવામાં આવશે. સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે તેને NSE સિસ્ટમમાં ખામી હોવાનું જણાયું હતું અને પસંદગીના બ્રોકરોએ જ્યારે તેના હાઇ-સ્પીડ અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ અને કોલોકેશન ફેસિલિટીનો ઉપયોગ કર્યો ત્યારે તેમને પ્રેફરન્શિયલ એક્સેસ આપ્યો હતો. કેપિટલ માર્કેટમાંથી રામકૃષ્ણ અને નારાયણ પરના પ્રતિબંધને ઘટાડીને પહેલાથી જ પસાર કરવામાં આવેલા પ્રતિબંધમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 14 જુલાઈ, 2022ના રોજ ફોન ટેપિંગ કેસમાં NSEના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ કરી હતી. NSE ખાતે કો-લોકેશન સ્કેમ સંબંધિત કેસમાં રામકૃષ્ણ પહેલાથી જ જેલમાં હતા. આ કેસમાં તેને 28 સપ્ટેમ્બરે જામીન આપવામાં આવ્યા હતા.