નવી દિલ્હી, 10 મેઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ IRPને ગો ફર્સ્ટની કામગીરી ચાલુ રાખવા અને કોઈપણ કર્મચારીની છટણી ન કરવા નિર્દેશ આપવા સાથે ગો ફર્સ્ટની સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી છે. તેમજ ગો ફર્સ્ટના ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે અભિલાષ લાલને નિયુક્ત કર્યા છે. ગો ફર્સ્ટે જાહેરાત કરી હતી કે, ‘ઓપરેશનલ કારણોસર’ 19 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

એરલાઈન્સ પર બેન્કો સહિત નાણાકીય લેણદારોનું રૂ. 6,521 કરોડનું દેવુ છે. વાડિયા ગ્રૂપે બીજી મેના રોજ નાદારી જાહેર કરતાં ઈન્સોલવન્સી રિઝોલ્યુશન માટે અરજી કરી હતી. તેમજ નાદારી પાછળ તેના પ્રિટ એન્ડ વ્હાઈટનીના નુકસાની એન્જિન્સને દોષી ઠેરવ્યા હતા. સોમવારે, એક મૌખિક અરજીમાં, કંપનીના વકીલે એરક્રાફ્ટ ભાડે આપનારાઓ હવે ઓર્ડરની ગેરહાજરીમાં પ્લેનનો કબજો લેવા ટે આગળ વધી રહ્યા હોવાની દલીલ કરી હતી.

ગોફર્સ્ટના એરક્રાફ્ટનો માલિક વિમાનો પર કબજો મેળવવાનો પ્રયાસ

જે કંપનીઓએ ગો એરલાઈન્સને એરક્રાફ્ટ લીઝ પર આપ્યું છે તે તેની હરીફ ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાની ઓફિસની બહાર લાઈનો લગાવી રહી છે અને આકર્ષક દરે પ્લેન ઓફર કરી રહી છે. એક ચર્ચા અનુસાર તાતા ગ્રૂપ અને ઈન્ડિગો ગો ફર્સ્ટના પટ્ટેદારો સાથે અલગ-અલગ વાટાઘાટોમાં રોકાયેલા છે, તેમજ એરપોર્ટ ઓપરેટરો સાથે લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ અંગે ચર્ચા કરી રહ્યાં છે. ભાડે આપનાર 36 એરક્રાફ્ટને ફરીથી કબજે કરવા માંગે છે, જે ભારતના ઉડ્ડયન નિયમનકારમાં ફાઇલ કરે છે. ગયા અઠવાડિયે, ટ્રિબ્યુનલે ઓર્ડર આરક્ષિત કરતા પહેલા વચગાળાના મોરેટોરિયમ લાદવાની માંગ કરતી એરલાઇનની અરજી સાંભળી હતી.

માત્ર રિસ્ટ્રક્ચરિંગની માગ: કંપનીએ એવી પણ દલીલ કરી હતી કે જો તે એરક્રાફ્ટનો કબજો અને તેને ચલાવવાનો કાયદેસરનો અધિકાર ગુમાવશે તો કારોબાર ચાલુ રાખવામાં પડકારો વધશે. કેરિયરે દલીલ કરી હતી કે તે એક વ્યાપક ડેટ રિસ્ટ્રક્ચરિંગની માંગ કરી રહી છે અને બાકીની ચૂકવણી ટાળવા માટે તે અરજી કરી રહી નથી.

ગો ફર્સ્ટ પર 11 હજાર કરોડનું દેવું: ગો ફર્સ્ટની બેન્કો, નાણાકીય સંસ્થાઓ, વિક્રેતાઓ અને એરક્રાફ્ટ લેસર્સ સહિત તમામ લેણદારોની કુલ જવાબદારીઓ રૂ. 11,463 કરોડ છે. ગો ફર્સ્ટ દ્વારા નાદારી ફાઈલિંગ મુજબ, બેન્ક ઓફ બરોડા, IDBI બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને ડોઇશ બેન્ક જેવી બેન્કો ગો ફર્સ્ટના નાણાકીય લેણદારોમાં સામેલ છે.