જીતુ મારવાડી, સંજય ચૌધરી, સંજીવ રાજ “દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની” ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી
![](https://businessgujarat.in/wp-content/uploads/2023/04/NSE-BUILDING-2-3.jpg)
અમદાવાદ, 29 એપ્રિલઃ નેશનલ સ્ટોકએક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે જીતુ મારવાડી, સંજય ચૌધરી અને સંજીવ રાજ નામના વ્યક્તિઓ દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલા છે તથા ખાતરીપૂર્વકના નફા સાથે ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. તેથી રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ/કંપની દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને કોઇપણ વ્યક્તિ સાથે તેમના યુઝર આઇડી/પાસવર્ડ જેવાં ટ્રેડિંગ ક્રેડેન્શિયલ શેર ન કરવા સલાહ અપાય છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ વ્યક્તિ/કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સદસ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી. રોકાણકારોને સાવધાન કરવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરે. આવા ગેરકાયદેસર પ્લેટફોર્મ પર કામ કરવું રોકાણકારના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો ઉપર છે કારણ કે આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે.રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:
1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો
2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ
3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ
રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે.