નવી દિલ્હી, 20 જૂનઃ ઉદ્યોગ સંગઠનોએ  સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, ભારતના કર પ્રણાલીમાં ફેરફારો કરવા જરૂરી બન્યા છે. ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી, PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ અલગ-અલગ બેઠક યોજી આગામી બજેટ માટે સૂચનો રજુ કર્યા હતા. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા સાથે પ્રિ-બજેટ ચર્ચા દરમિયાન એવી રજૂઆત કરાઇ હતી કે, 20 લાખ સુધીની કરપાત્ર રકમ પર આવકવેરામાંથી થોડી રાહત મળવી જોઈએ.  ઉદ્યોગ સંગઠનોની ડાયરેક્ટ ટેક્સ કમિટીના સુત્રોએ કહ્યું હતું કે રૂ. 40 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાદવો જોઈએ અને 40 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના લોકો પર આ શ્રેણીમાં ટેક્સ લાગવો જોઈએ. હાલમાં 15 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. વિથહોલ્ડિંગ ટેક્સના દર છે અલગ-અલગ અને સ્ત્રોત પર વસૂલવામાં આવતો ટેક્સ પણ વધારે છે. ભારતમાં કેપિટલ ગેઇન ટેક્સનું માળખું ખૂબ જ જટિલ છે. નાણાકીય અસ્કયામતોને લાંબા ગાળામાં રૂપાંતરિત કરવા માટે, હોલ્ડિંગનો સમયગાળો 12 મહિના અને અન્ય સંપત્તિ માટે 36 મહિનાનો રાખવો જોઈએ. લાંબા ગાળાના મૂડી લાભ કરનો દર નાણાકીય અસ્કયામતો માટે 10 ટકા અને સ્થિર અસ્કયામતો માટે 20 ટકા પર નિશ્ચિત હોવો જોઈએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)