મુંબઇ, 09 સપ્ટેમ્બર, 2024: JSW ગ્રૂપનો હિસ્સો અને ભારતમાં બીજા ક્રમના સૌથી મોટા ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તેના જયગઢ અને ધરમતાર પોર્ટ ખાતે ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 2,359 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી છે.

કંપનીની વર્તમાન ક્ષમતા 170 એમટીપીએથી વધારીને નાણાકીય વર્ષ 2030 સુધીમાં 400 મિલિયન ટન કરવાની વૃદ્ધિ યોજનાના ભાગરૂપે સંબંધિત પેટા કંપનીઓના બોર્ડે કુલ 36 એમટીપીએ ક્ષમતા વિસ્તરણને મંજૂરી આપી છે (ધરમતાર ખાતે 21 એમટીપીએ અને જયગઢ ખાતે 15 એમટીપીએ). આ મૂડી રોકાણની યોજનામાં નવા બર્થ માટે મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામગીરી તથા જયગઢ પોર્ટ માટે રેલવે સાઇડિંગ જેવા વધારાના માળખાનો સમાવેશ થાય છે, જેથી થર્ડ-પાર્ટી કાર્ગો મૂવમેન્ટને બળ આપી શકાય.

આ વિસ્તરણથી જયગઢ પોર્ટની કુલ ક્ષમતા હાલના 70 એમટીપીએથી વધીને 55 એમટીપીએ તેમજ ધરમતાર પોર્ટની હાલની ક્ષમતા 34 એમટીપીએથી વધીને 55 એમટીપીએ થશે. આ વિસ્તરણનો હેતુ મુખ્યત્વે મહારાષ્ટ્રના ડોલવી ખાતે પ્રસ્તાવિત 5 એમટીપીએ સ્ટીલ-નિર્માણ સુવિધા પાછળ એન્કર ગ્રાહકના વધેલા કાર્ગો વોલ્યુમને પહોંચી વળવાનો છે. બંને પોર્ટના વિસ્તરણથી અંદાજે 27 એમટીપીએ વધારાના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમની અપેક્ષા છે. બંને પોર્ટ ખાતે બાંધકામ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)