અમદાવાદ, 6 મે: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવવા કડક નિર્દેશ કર્યો છે. રોયટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્ર અનુસાર, આ પગલાંની જાણ ધરાવતા બે વ્યક્તિએ આ અંગે જણાવ્યું છે.

આવકવેરા અધિનિયમ 1961ની 269 (SS) કલમની જોગવાઓને આધારે કોઈપણ વ્યક્તિને લોન પેટે રૂ. 20 હજારથી વધુ રકમ મળી શકે નહીં. ઉલ્લેખનીય છે, કોઈપણ NBFC રોકડમાં રૂ. 20 હજારથી વધુ રકમ લોન પેટે ફાળવતી નથી.

IIFL ફાઈનાન્સ વિરૂદ્ધ કાર્યવાહી કર્યા બાદ આ પ્રકારના અનેક નિયમોનું ભંગ થઈ રહ્યુ હોવાનું જાણવા મળ્યું છે. જેથી RBI દ્વારા આ નિર્દેશનું પાલન કરવા કડકપણે કહેવામાં આવ્યું છે. મીડિયા સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઘણી NBFC સ્ટેટ્યુટરી લિમિટ કરતાં વધુ રોકડ લોન પેટે ફાળવી રહી છે. તેમજ કલેક્શન પણ કરી રહી છે. 

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)