દેશભરના 1.5 કરોડ રિટેલર્સની પડી રહેલી હાલાકી, સરકારની જીએસટી આવકમાં પણ ઘટાડો

દેશભરમાં વન નેશન વન ટેક્સ પોલિસી લાગુ પાડવા માટે સરકારને ભલામણ કરવા સાથે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિયેશન અને કેમિસ્ટ એસોસિયેશન દ્રારા ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કંપનીઓને કિંમત અને માર્જિન પોલિસીના તફાવત દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. બેઠકમાં એવો સૂર વ્યક્ત કરાયો હતો કે, કંપનીઓની ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસીને કારણે રિટેલર્સને  ધંધો કરવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે.

ફેડરેશન કંપની એ  ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર્સ વચ્ચેની કડી તરીકે કામ કરે છે. ફેડરેશનના સભ્યો સમગ્ર ગુજરાતમાં FMCG બિઝનેસ કરે છે. રાષ્ટ્રીય સ્તરે પાંચ લાખથી વધુ વિતરકો અને 1.5 કરોડ રિટેલર્સ છે. જેઓ છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

FMCG સેક્ટરના કુલ બિઝનેસમાં લગભગ 90% યોગદાન આપે છે અને 25% થી વધુ વસ્તીને રોજગારી આપે છે, જ્યારે આધુનિક અને ઓનલાઈન વેપાર માત્ર 10% ફાળો આપે છે અને રોજગારમાં માત્ર 1% ફાળો આપે છે.

કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે “આ ભાવ તફાવતને કારણે સરકારને GST ની આવકમાં ઘટાડો થાય છે અને અમને ધંધામાં નુકશાન થાય છે. જો એક જ રિટર્ન ભરવું પડે તો વેપાર કરવામાં સરળતા રહેશે.

FMCG ના ચેરમેન અરુણ પરીખે કહ્યું કે “હાલમાં ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસીના કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે અને છેતરાય છે. છૂટક વેપારીને 10% માર્જિન મળી રહ્યું છે અને મોલને 20 થી 22% નું માર્જિન મળે છે પરંતુ વજનમાં ફરક કરે છે જેથી ગ્રાહકો છેતરાય છે.