અમદાવાદ: ગુજરાતના ખેડૂતો સામાન્ય ખેતીની સાથે સાથે બાગાયતી ખેતી અપનાવીને ગૌણ આવક મેળવી શકે તે ઉદ્દેશ્ય સાથે GHCL ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2014માં બાગાયત વાવેતરની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટા રોકાણ કર્યા વિના એક સાથે/સારા પાકની ઉપજ માટેની ખેતીની નવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. આ પહેલ હેઠળ વાવેતર કરેલા પાકમાં મુખ્યત્વે નારિયેળ ઉપરાંત દાડમ, અનોલા, લીંબુ, જામફળ, સીતાફળ, મોસંબી, સંતરા, ચિક્કુ, ચંદનના લાકડાના છોડ (લાલ અને સફેદ) સાગ, બોરસલી, બિલિપત્ર, સિસમનું લાકડું, રામના, જાંબુ, ડ્રેગન ફ્રૂટ, રામફળ, હનુમાનફળ, દ્રાક્ષ, કાળા મરી, આસોપાલવ, એપલ બોર, કાશ્મીરી બોર અને સોપારી જેવા ફળનો સમાવેશ થાય છે. આ બાગાયતી પાકથી ખેડૂતોને આર્થિક લાભ ઘણો સારો મળે છે કારણ કે છોડનો જીવિત રહેવાનો દર 70% સુધીનો છે. આ પહેલના કારણે પહેલાં જ વર્ષે 247 ખેડૂતોએ જોડાવા સાથે 5.99 હેક્ટરમાં 11,977 યૂનિટનું વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષમાં 216 હેક્ટરથી વધુ જમીન સાથે આ સંખ્યા ત્રણ ગણી વધીને 612 થઈ હતી. 19 લાખથી વધુની રકમ ખેડૂતો અને GHCL ફાઉન્ડેશન બંને દ્વારા સામેલ કરાઈ હતી. જેમાંથી 50% રકમની વહેંચણી કરવામાં આવી હતી. જે પછી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ખેડૂતોની સંખ્યા 996 સુધી પહોંચી ગઈ હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં GHCL ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં નવો પાક એટલે કે કાળા મરી (કાળા મરી, પાઇપર નાઈગ્રમ) રજૂ કરવામાં આવ્યા હતા, જે એક મસાલા પાક છે. જેને સોપારી(એરેકા પામ) અને નારિયેળના બગીચાઓમાં આંતર પાક તરીકે ઉગાડી શકાય છે. જેનાથી ખેડૂતો બે પાકની એકસાથે ખેતી કરી શકે છે. આંતર પાક તરીકે એકર દીઠ વાવેલા છોડની સંખ્યા, જમીનની ગુણવત્તા વગેરે વગેરે. આ પાકની કિંમત 300 થી 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે જેથી સરેરાશ ઉપજ અંદાજીત 1500 કિલો/હેક્ટર ગણી શકાય છે. 6 ખેડૂતોએ પ્રાયોગિક ધોરણે મરીના 600 જેટલા છોડનું વાવેતર કર્યું છે. આ છ માંથી સોમનાથ જિલ્લાના ખેડૂત મેરામણભાઈ જાદવભાઈ સોલંકીએ હાલના સોપારીના બગીચામાં કાળા મરીના 200 છોડ રોપ્યા છે. રોપણી સામગ્રીની કુલ કિંમત રૂ. 12,000 હતી જેમાંથી GHCL ફાઉન્ડેશન દ્વારા રૂ. 5000ની સબસિડી આપવામાં આવી હતી.