અમદાવાદ, 6 જુલાઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ” નામની કંપની સાથે સંકળાયેલા “હિમાંશુ ઠક્કર” નામના વ્યક્તિ શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. વ્યક્તિ/કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સદસ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી. એક્સચેન્જમાં ટ્રેડિંગ સભ્યો દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા/ચુકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે નામ આપવામાં આવેલ નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ પ્રદર્શિત થાય છે. કોઈપણ એન્ટિટી સાથે વ્યવહાર કરતી વખતે રોકાણકારોને વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે. આવી ગેરકાયદેસર સ્કીમમાં ભાગ લેવો રોકાણકારના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો ઉપર છે કારણ કે આવી સ્કીમ એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે. રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે  નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:

1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો

2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ

3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ

રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે.