મુંબઈ, 26 જૂન:એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડનો ઉદ્દેશ્ય નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ની કામગીરીને અનુસરવાનો છે, જે રોકાણકારોને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર લિસ્ટેડ ભારતની ટોચની 500 કંપનીઓમાં વ્યાપક એક્સપોઝર ઓફર કરે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 26 જૂન, 2024ના રોજ ખૂલશે અને 09 જુલાઈ, 2024ના રોજ બંધ થશે.

નિફ્ટી 500 ઇન્ડેક્સનો ઉદ્દેશ્ય વિવિધ કંપનીઓના પર્ફોર્મન્સ દ્વારા આ ગ્રોથ સ્ટોરીનો લાભ લેવાનો છે, જે રોકાણકારોને ભારતીય ઇક્વિટી માર્કેટમાં વૈવિધ્યસભર એક્સપોઝર પ્રદાન કરે છે. આ મુજબ એક્સિસ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડનો ઉદ્દેશ્ય ખર્ચ પહેલાં વળતર આપવાનો છે જે ટ્રેકિંગ ભૂલોને આધીન રહીને નિફ્ટી 500 ઇન્ડેક્સના કુલ વળતરને નજીકથી અનુરૂપ હોય. જે રોકાણકારો આ વૃદ્ધિની તકનો લાભ લેવા ઈચ્છે છે તેઓ આ ફંડમાં એક્સપોઝર અંગે વિચાર કરી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)