અમદાવાદ, 8 એપ્રિલઃ Paytmનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન એક તબક્કે 4 ટકાના કડાકા સાથે રૂ. 318ની ઐતિહાસિક નીચી સપાટીએ બેસી ગયો હતો. બજાર વર્તુળો આ ઘટાડા માટે એવું કારણ આપી રહ્યા છે કે ફિનટેક ફર્મના મુખ્ય ધિરાણ ભાગીદારોમાંના એક આદિત્ય બિરલા ફાઇનાન્સે લોન ગેરંટી માંગી છે. આ વર્ષે અત્યાર સુધીમાં, Paytmનો શેર લગભગ 50 ટકા તૂટી ગયો છે, જે સમાન સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 3 ટકાનો ઉછાળો દર્શાવે છે. આદિત્ય બિરલા ફાઇનાન્સ ઉપરાંત, પિરામલ ફાઇનાન્સ અને ક્લિક્સ કેપિટલ જેવા અન્ય ધિરાણકર્તાઓએ પણ પેટીએમ સાથેની તેમની ભાગીદારીમાંથી પ્લગ ખેંચી લીધો હતો કારણ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે.

ફિનટેક મેજર Paytmએ એપ્રિલમાં સતત ત્રીજા મહિને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો જોવાનું ચાલુ રાખ્યું હતું. કંપનીએ એપ્રિલમાં 1,117.3 મિલિયન વ્યવહારો નોંધ્યા હતા, જે માર્ચમાં 1,230.04 મિલિયન ટ્રાન્ઝેક્શનથી વોલ્યુમમાં 9 ટકા ઓછા હતા.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (Q4FY24) માટે, મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોએ પેટીએમની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે (YoY) 21.5 ટકા ઘટીને રૂ. 1,830 કરોડ થવાનો અંદાજ મૂક્યો હતો જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 2,340 કરોડ હતો. તેની ખોટ પણ Q4FY23માં રૂ. 170 કરોડથી વધીને Q4FY24માં રૂ. 470 કરોડ થવાની ધારણા છે.

પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આરબીઆઈના પ્રતિબંધને કારણે મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોએ કંપનીનું રેટિંગ નેચરલ કરવા સાથે ટાર્ગેટ રૂ. 475 આસપાસ આપ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)