SVPI એરપોર્ટ આઝાદીના અમૃત મહોત્સવમાં ત્રિરંગાના રંગે રંગાયુ

બિઝનેસ ગુજરાત. અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. ત્રિરંગામાં સુસજ્જ એરપોર્ટેની છબી, સ્પેશ્યલ સેલ્ફી પોઈન્ટ્સ અને ડેકોરેશન્સ કરવામાં આવ્યું છે. ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18×18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે.