ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ
મુંબઈ, 6 મેઃ ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું છે. આ એક નવીનતમ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે આર્બિટ્રેજ ફંડ્સની ઓછી અસ્થિરતાવાળી વ્યૂહરચના અને ઉચ્ચ ગુણવત્તાના કોર્પોરેટ બોન્ડ્સની સ્થિર આવક સંભાવનાને સમાવે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 5 મે, 2025ના રોજ ખૂલશે અને 19 મે, 2025ના રોજ બંધ થશે.
સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરતું આ ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ કોર્પોરેટ બોન્ડ્સ પર મળતું વ્યાજ અને ઇક્વિટી આર્બિટ્રેજ વળતરના સંતુલિત મિશ્રણ દ્વારા રોકાણકારોને વૈવિધ્યપૂર્ણ સોલ્યુશન આપે છે.
ટાટા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ એ એવા રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે જેઓ બે વર્ષનો રોકાણ સમયગાળો ધરાવતા હોય, સ્થિર, આવક સંચાલિત અને કરવેરા કાર્યક્ષમ વળતર ઇચ્છતા હોય. ફંડ મહત્તમ 65 ટકા ટાટા કોર્પોરેટ બોન્ડ ફંડ તથા લઘુતમ 35 ટકા ટાટા આર્બિટ્રેજ ફંડમાં ફાળવે છે અને બે વર્ષનો રોકાણ સમયગાળો ધ્યાનમાં લેવાય ત્યારે કરવેરા કાર્યક્ષમ વળતર સાથે દેવાની સ્થિરતાનું મિશ્રણ કરે છે.
ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર શૈલેષ જૈને જણાવ્યું હતું કે ટાટા કોર્પોરેટ બોન્ડ ફંડ – રેગ્યુલર પ્લાને 1 વર્ષની ક્ષિતિજ પર 8.43 ટકા વાર્ષિક વળતર આપ્યું છે, જેની સામે ક્રિસિલ કોર્પોરેટ બોન્ડ A-II ઇન્ડેક્સ દ્વારા સમાન સમયગાળામાં 7.97 ટકા વળતર આપ્યું છે. 2021માં તેની સ્થાપના થઈ ત્યારથી ફંડે 5.96 ટકા વળતર આપ્યું છે (સ્ત્રોત: પ્રેઝન્ટેશન). દરમિયાન, વેલ્યુ રિસર્ચ અનુસાર ટાટા આર્બિટ્રેજ ફંડ – ડાયરેક્ટ પ્લાન 1 વર્ષ અને 5 વર્ષના એસઆઈપી રિટર્ન બંને માટે આર્બિટ્રેજ ફંડ્સમાં ત્રીજા ક્રમે છે. તેણે 1 વર્ષની એસઆઈપી પર 8.05 ટકા અને 5 વર્ષની એસઆઈપી પર 7.06 ટકા વળતર આપ્યું છે.
ટાટા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ એફઓએફની મુખ્ય વિશેષતાઓમાં ઓછામાં ઓછી રૂ. 5,000 ની રોકાણ રકમ, બે વર્ષ પછી ઇક્વિટી ટેક્સેશન લાભો અને 30 દિવસની અંદર રિડીમ કરવામાં આવે તો 0.25 ટકાનો સાધારણ એક્ઝિટ લોડ સામેલ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)