અમદાવાદ, 13 મેઃ અદાણી ગ્રૂપે તેની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝને QIP મારફત રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવા મંજૂરી આપી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશને 14 મેના રોજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) મારફત કુલ રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી. સ્ટોક એક્સચેન્જોને રેગ્યુલેટરી ફાઇલિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તે રૂ. 12,500 કરોડ એકત્ર કરશે, જ્યારે અદાણી ટ્રાન્સમિશન રૂ. 8,500 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 13 મે, 2023ના રોજ અમદાવાદ ખાતે, અન્ય બાબતોની સાથે-સાથે ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત પર વિચારણા અને મંજૂર કરવા માટે યોજાશે. જેમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ, ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશન પ્લેસમેન્ટ, પ્રેફરન્શિયલ ઈશ્યુ અથવા લાગુ કાયદા હેઠળ પરવાનગી આપવામાં આવી હોય તેવી કોઈપણ અન્ય પદ્ધતિ અથવા પદ્ધતિઓના સંયોજન સહિત, પરંતુ અનુમતિપાત્ર મોડ દ્વારા કોઈપણ અન્ય પાત્ર સિક્યોરિટીઝ ઈશ્યુ કરવામાં આવશે.

અદાણી ટ્રાન્સમિશનઃ  રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા ચોક્કસ ઈક્વિટી શેર્સ ક્યુઆઈપી કે લાગૂ કાયદા અનુસાર માન્ય મોડ હેઠળ જારી કરી કંપની રૂ. 8,500 કરોડથી વધુની રકમ અથવા તેની સમકક્ષ રકમ એકત્રિત કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝિસઃ રૂ.1ની ફેસવેલ્યૂ ધરાવતા અમુક ચોક્કસ શેર્સ ક્યુઆઈપી કે લાગૂ કાયદા અનુસાર માન્ય મોડ હેઠળ જારી કરી કંપની રૂ. 12,500 કરોડ અથવા તેની સમકક્ષ ફંડ એકત્ર કરશે.

અદાણી ગ્રીન એનર્જી, જે પણ સમાન ભંડોળ યોજનાની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી, તેણે શુક્રવારે તેની બોર્ડ મીટિંગને 24 મે પર ફરીથી શેડ્યૂલ કરી છે.