નવી દિલ્હી, 5 મેઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે રૂ. 538 કરોડના કથિત બેન્ક છેતરપિંડીના કેસમાં જેટ એરવેઝ અને તેના ચેરમેન નરેશ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIએ મુંબઈ સ્થિત ગોયલની ઓફિસ ઉપરાંત પત્નિ અનિતા અને ભૂતપૂર્વ એરલાઈન્સ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટીના નિવાસો અને ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બે દિવસ પહેલાં જ ગો ફર્સ્ટે નાદારી નોંધાવા એનસીએલટી સમક્ષ અરજી કરી હતી. ત્યારબાદ એરલાઈન્સની બીજી અને ઈન્સોલવન્સી પ્રક્રિયા હેઠળની જેટ એરવેઝ આ દરોડા બાદ ફરી પાછી વિવાદોમાં આવી છે.

એજન્સીએ કેનેરા બેન્કની ફરિયાદ પર રૂ. 538 કરોડની કથિત બેન્ક છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપો અન્ય અનિયમિતતાઓ વચ્ચે ફંડનું કથિત ડાયવર્ઝન સંબંધિત છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જાલાન કાલરોક કન્સોર્ટિયમે જેટ એરવેઝ માટે બિડ જીતી લીધા પછી કંપની ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ હતી.