વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટમાં 31 ટકા સાથે અમદાવાદ ટોચના સ્થાનેઃ ગોદરેજ પ્રોપર્ટીઝનો સર્વે
અમદાવાદ: અમદાવાદમાંથી 83 ટકા લોકોએ ઘરેથી કામ કરવા માટે તેમના ઘરોમાં એડજસ્ટમેન્ટ કર્યા છે એવો ખુલાસો ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા હોમ લિવેબિલિટી ફેક્ટર્સ અભ્યાસમાં થયો હતો. આ ઉત્તરદાતાઓમાંથી 44 ટકાએ ઘરેથી કામ કરવા એડજસ્ટમેન્ટ કર્યા છે, તો અન્ય 39 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, તેમના ઘરોમાં ઓફિસ સેટઅપ હોવું અતિ મહત્વપૂર્ણ છે. કોવિડ-19 મહામારી અગાઉ ઘણા લોકો ભાડાનાં ઘરો તરફ વધારે ઝુકાવ ધરાવતા હતાં, કારણ કે તેઓ ઘરોને આરામ અને આશ્રય મેળવવાનું સ્થાન ગણતાં હતાં. જોકે હવે આ માનસિકતામાં ફેરફાર આવ્યો છે અને ઘરોને હવે તેમની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવાનું સ્થાન ગણવામાં આવે છે. અગાઉના વર્ષમાં મિલેનિયલ પેઢીના ગ્રાહકોમાં આવશ્યક સેવાઓથી નિકટતા ધરાવતા ઘરો અને સ્પેસની માલિકીમાં વધારો જોવા મળ્યો હતો. હવે લોકો તેમની જરૂરિયાતોને લઈને વધારે સ્પષ્ટ થયા છે અને તેમના ઘરોને રહેવાના સ્થાનથી વિશેષ માને છે.
વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટમાં અમદાવાદ ટોચના સ્થાને
અમદાવાદમાંથી લોકોએ અન્ય કોઈ પણ ભારતીય શહેરોની સરખામણીમાં વર્ક-ફ્રોમ-હોમ વિભાવના સ્વીકારી છે. 31 ટકા માટે ઘર કાર્યસ્થળનો વિકલ્પ છે, જ્યાં તેઓ તેમના રિમોટ વર્કિંગનો મોટા ભાગનો સમય પસાર કરે છે. આ દ્રષ્ટિએ અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ ટોચનું સ્થાન ધરાવે છે અને ત્યારબાદ પૂણે (28%), બેંગાલુરુ (20%), મુંબઈ (19%), દિલ્હી (18%), ચેન્નાઈ (17%) અને કોલકાતા (11%) સ્થાન ધરાવે છે તેવું ગોદરેજ પ્રોપર્ટીઝના ચીફ ડિઝાઇન ઓફિસર રાકેશ કુમારે કહ્યું હતું.
અમદાવાદના સંશોધન રિપોર્ટના મુખ્ય તારણો:
• 80% પ્રકૃતિ અને ખુલ્લી જગ્યાઓની સુલભતા ધરાવતા ઘરોને પસંદ કરે છે
• 7 શહેરોમાં અમદાવાદ ચાર્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે; 31 ટકા કામગીરીનો મોટા ભાગનોસમય ઘરે પસાર કરે છે
• 83%એ વર્ક-ફ્રોમ-હોમ માટે એડજસ્ટમેન્ટ કર્યા છે અને/અથવા ઓફિસના વાતાવરણને સંપૂર્ણપણે અપનાવ્યું છે
• 89% માટે ઘર આરોગ્ય અને સુખાકારી જાળવવાનું સ્થાન છે
• અમદાવાદમાંથી 50 ટકા ઉત્તરદાતાઓ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અપનાવીને તથા ખાદ્ય ચીજવસ્તુઓ અને પાણીનો બગાડ અટકાવીને સસ્ટેઇનેબ્લ જીવન તરફ વધારે વળ્યાં છે.
• અમદાવાદમાં 80 ટકા ઉત્તરદાતાઓ ખુલ્લી જગ્યાઓ અને પ્રાકૃતિક સ્થાનોની નિકટ ઘરની ખરીદી પસંદ કરે છે.
• 44 ટકા ઉત્તરદાતાઓ તેમના ઘરોની આસપાસ ખુલ્લી જગ્યાઓ હોય કે ઘરમાં વિવિધ છોડ હોય એવું ઇચ્છે છે.
• 77 ટકા તેમનો નિર્ણય શાળાઓ, કોલેજો, દુકાનો અને જાહેર સ્થાનો જેવી સુવિધાઓની સુલભતાઓને આધારે લે છે.
ડેટા તારણો ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ (જીપીએલ) દ્વારા જાહેર થયેલા હોમ લિવેબિલિટી ફેક્ટર્સ રિસર્ચ રિપોર્ટનો ભાગ છે. આ અભ્યાસ માટે સાત શહેરો પૂણે, મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ, કોલકાતા, અમદાવાદ અને ચેન્નાઈમાં ઉત્તરદાતાઓનો સર્વે થયો હતો.