નવી દિલ્હીઃ TATA ગ્રુપે દેવાના બોજા હેઠળની તેમજ સતત ખોટ કરી રહેલી એર ઈન્ડિયાને હસ્તગત કરી તેની બિઝનેસ વિસ્તરણ કામગીરી હાથ ધરી છે. એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ આંતરરાષ્ટ્રીય એરલાઈન બનાવવા તેમજ સ્થાનિક બજારમાં આગામી પાંચ વર્ષની અંદર 30 ટકા હિસ્સો હાંસિલ કરવાના ઉદ્દેશ સાથે Vihaan.AI પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં ગ્રાહક સેવા, ટેકનોલોજી, ઉત્પાદન, વિશ્વસનિયતા અને હોસ્પિટાલિટીની શ્રેષ્ઠ સેવાઓ આપવા “Vihaan.AI” પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેનો સંસ્કૃતમાં અર્થ નવા યુગનો ઉદય થાય છે. આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષ દરમિયાન AIR INDIA માટે ઉદ્દેશોની ઓળખ કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય રૂટમાં વધારો કરશે

આંતરરાષ્ટ્રીય સ્તરે હાલના બજાર હિસ્સામાં વધારો કરવા વિવિધ આંતરરાષ્ટ્રીય રૂટમાં વધારો કરશે. આ યોજનાનો ઉદ્દેશ AIR INDIAને સતત વૃદ્ધિ, નફાકારકતા અને બજારમાં લીડરશિપના માર્ગે અગ્રેસર કરવાનો છે. AIR INDIAના એમડી અને સીઇઓ કેમ્પ્બેલ વિલ્સને Vihaan.AI અંગે જણાવ્યુ હતુ કે, આ AIR INDIA માટે ઐતિહાસિક પરિવર્તનની શરૂઆત છે, જે ઉદ્દેશની નવી ભાવના અને અભૂતપૂર્વ ગતિ ધરાવે છે. Vihaan.AI AIR INDIAને ફરી એક વાર વર્લ્ડ ક્લાસ એરલાઇન બનાવશે.

 Vihaan.AI પાંચ મુખ્ય આધારસ્તંભ

Vihaan.AI પાંચ મુખ્ય આધારસ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરશે – ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ, મજબૂત કામગીરી, ઈન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ ટેલેન્ટ, લીડરશીપ, કાર્યદક્ષતા અને નફાકારકતા.

90 વર્ષ અગાઉ જેઆરડી TATAએ શરૂઆત કરી હતી

90 વર્ષ અગાઉ આજથી બરોબર એક મહિના અગાઉ યુવાન જેઆરડી TATAએ એરલાઇનની પ્રથમ ફ્લાઇટ માટે ઉડાન ભરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં TATA ગ્રુપે ખોટ  કરતી AIR INDIAને હસ્તગત કરીને તેનો કાયાકલ્પ કરવાની કામગીરી શરૂ કરી છે.