ઝાયડસ લાઇફસાયન્સિસે ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે ANVIMO લોન્ચ કરી
અમદાવાદ, 5 માર્ચ: લાઇફસાયન્સિસ કંપની ઝાયડસે ANVIMO (Letermovir) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હેમેટોપોઇટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (એચએસસીટી) અને કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ માટે Cytomegalovirus (CMV) ઇન્ફેક્શનના નિવારણમાં આ એક મોટી સફળતા છે. ANVIMO 240 mg અને 480 mg ના ડોઝમાં ઉપલબ્ધ રહેશે. ganciclovir અને valganciclovir જેવી પરંપરાગત સીએમવી સારવારોની ટોક્સિસિટી અને બોન મેરો સપ્રેશન સહિતની નોંધપાત્ર મર્યાદાઓ છે. Letermovir સુરક્ષિત, સહન કરી શકાય તેવો અને અસરકારક વિકલ્પ પૂરો પાડે છે જે ટ્રાન્સપ્લાન્ટના પરિણામો સુધારે છે ઉપરાંત વધુ સારી સુરક્ષા અને ઓછી સાઇડ ઇફેક્ટ્સ ધરાવે છે.
ANVIMO ના લોન્ચથી ઝાયડસે ઇનોવેટરની કિંમતમાં 91 ટકાનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે જેનાથી CMV prophylaxis ની સારવાર ભારતીય દર્દીઓ માટે ખૂબ જ કિફાયતી બની છે. ANVIMO એ રેફરન્સ ડ્રગ સાથે બાયોઇક્વિલન્સ સ્થાપિત કર્યું છે અને ખૂબ જ નજીવી કિંમતે ગુણવત્તા સુનિશ્ચિત કરી છે.
આ લોન્ચ અંગે ઝાયડસ લાઇફસાયન્સિસના એમડી ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે આ ખૂબ જ મહત્વની થેરાપીને કિફાયતી અને સુલભ બનાવીને અમે વિશ્વકક્ષાના હેલ્થકેર સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને કિફાયતી દરે જીવનરક્ષક સારવારની પહોંચ મળી રહે.
ANVIMO સાથે ઝાયડસ લાઇફસાયન્સિસ ભારતમાં CMV prophylaxis માં પરિવર્તન લાવી રહી છે અને સુનિશ્ચિત કરે છે કે વધુને વધુ ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને સમયસર, અસરકારક અને કિફાયતી સંભાળ મળી રહે જેનાથી છેવટે જીવન બચાવવાનો દર અને જીવનની ગુણવત્તામાં સુધારો થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)