બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા અને ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા
અમદાવાદ, 20 ઓગસ્ટ: બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે.
આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક પ્રણાલીઓની તૈયારીની ખાતરી કર્યા પછી, વન વિભાગની દેખરેખ હેઠળ હરણોને છોડવામાં આવ્યા હતા. વાનતારાએ સ્થાપિત સંરક્ષણ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટેકનિકલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો.
પોરબંદર જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય જૈવિક રીતે સમૃદ્ધ આશ્રયસ્થાન છે. વિવિધ વનસ્પતિ સંગ્રહ માટે જાણીતું અભયારણ્ય વિવિધ વન્યજીવોના વસવાટ સ્થાપવામાં સહાયક બન્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
