અમદાવાદ, 11 ફેબ્રુઆરીઃ લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટે એબિટા વાર્ષિક ધોરણે 955 ટકા વધીને રૂ. 16 કરોડ (એબિટા માર્જિન 4.41 ટકા) નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 371 કરોડના કન્સોલિડેટેડ ચોખ્ખા વેચાણો સામે સ્થાનિક માંગમાં સુસ્તી અને ટાઇલ્સ નિકાસોમાં સતત રહેલી નબળાઈના લીધે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા વેચાણો રૂ. 360 કરોડ રહ્યા હતા. કંપનીએ 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1 કરોડની કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી ખોટ નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8 કરોડની ચોખ્ખી ખોટ હતી. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નિકાસો રૂ. 60 કરોડ રહી હતી જે ક્વાર્ટ્ઝની નિકાસોના પગલે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 22 ટકા વધીને રૂ. 79 કરોડ રહી હતી. 

કંપનીના પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કંપની કુલ રૂ. 6,000 કરોડની આવકના લક્ષ્યાંક હાંસલ કરવાના લાંબા ગાળાના વિઝન સાથે પ્રતિબદ્ધ છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને 9 મહિના માટે મજબૂત પરિણામો દર્શાવ્યા છે.

કંપનીએ 31 ડિસેમ્બર, 2024મા રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 2કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 6 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્ટેન્ડઅલોન ચોખ્ખા વેચાણો રૂ. 320 કરોડ હતા જે નીચા પ્રાઇઝ રિયલાઇઝેશનના લીધે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 8 ટકા ઘટીને રૂ.295 કરોડ રહ્યા હતા. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ.6 કરોડ (એબિટા માર્જિન 1.63%) હતી જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ.4 કરોડ (એબિટા માર્જિન 1.36%) હતી.

31 ડિસેમ્બર, 2024ના રોજ નાણાંકીય વર્ષ 2025ના પહેલા નવ મહિનાના ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે કંપનીએ રૂ. 4 કરોડનો ચોખ્ખો નફો, રૂ. 47 કરોડની એબિટા તથા રૂ. 1,087 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા હતા. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ રૂ. 8 કરોડનો ચોખ્ખો નફો, રૂ. 16 કરોડની એબિટા તથા રૂ. 896 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)