અમદાવાદ, 13 મેઃ

NSE ના SME પ્લેટફોર્મ અથવા NSE ઇમર્જ પર લિસ્ટેડ વરેિનિયમ ક્લાઉડ અને કંપની ના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષવર્ધન હણમંત સાબલેને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપનીએ કથિત રીતે તેની પ્રારંભિક-જાહેર ઓફર (IPO)ની આવકનો દુરુપયોગ કર્યો હતો અને સામાન્ય લોકો માટે સારા નાણાકીય સ્વાસ્થ્ય અને આશાસ્પદ વૃદ્ધિની સંભાવનાઓનું ખોટું ચિત્ર દોરવા માટે શંકાસ્પદ વ્યવહારોનો ઉપયોગ કર્યો હતો. સેબી દ્વારા છેલ્લા એક સપ્તાહમાં આ પ્રકારની બીજી કાર્યવાહી કરવામાં આવી છે.

માર્કેટ રેગ્યુલેટર દ્વારા 10 મેના રોજ જારી કરાયેલા વચગાળાના આદેશમાં જણાવાયું હતું કે આનાથી કથિત રીતે તેના પ્રમોટર એકમોને “ખોટી રોકાણકારોના ખર્ચે” કંપનીમાંથી બહાર નીકળવામાં મદદ મળી હતી. વરાનિયમના શેર વેચીને સાબલે દ્વારા મેળવેલ સૂચક વળતર રૂ. 17.61 કરોડ જેટલું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

વેરેનિયમે ઓછામાં ઓછા રૂ. 18.43 કરોડ-અથવા તેની IPOની આવકના 46 ટકા– BM ટ્રેડર્સ નામની એન્ટિટીમાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાયું હતું. બીએમ ટ્રેડર્સ, એક ચોક્કસ રાજ કિશનચંદ જગતાણીનો માલિકીનો વ્યવસાય, ફળો અને શાકભાજીના જથ્થાબંધ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આકારણી વર્ષ 2024 દરમિયાન તેની નોંધાયેલ આવક માત્ર રૂ. 6.47 લાખ હતી.

અગાઉ એડ-શોપ રિટેઇલના મેનેજમેન્ટ પર પણ પ્રતિબંધ લદાયો હતો

થોડા સમય અગાઉ સેબીએ એડ-શોપ ઈ-રિટેલ અને તેના મેનેજમેન્ટના સભ્યોને ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની કથિત હેરાફેરી બદલ સિક્યુરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા હતા. સેબીના ઓર્ડર મુજબ કંપનીએ ખોટું વેચાણ અને ખરીદીની એન્ટ્રીઓ એટલી બતાવી હતી કે, છેલ્લા ત્રણ નાણા વર્ષના ૪૬ ટકાથી વધુ વેચાણ કાલ્પનિક હોવાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે આવાં સંખ્યાબંધ એસએમઇ આઇપીઓના ગોટાળા સેબીના સ્કેનર હેઠળ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)