અમદાવાદ, 24 જૂનઃ વેદાંતા ગ્રૂપે તેના વ્યૂહાત્મક વિઝન અને વૃદ્ધિ યોજનાઓ જાહેર કરી હતી. ચેરમેન અનિલ અગ્રવાલે ગ્રૂપની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. 70 મિલિયન ટન આયર્ન ઓરના ઉત્પાદનની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે ઓઇલ અને ગેસ સેક્ટરમાં વેદાન્તાના વિસ્તરણ યોજનાની પણ માહિતી આપી હતી, જેમાં ભારતમાં ઉત્તરપૂર્વમાં મુખ્યત્વે ડિબગોઇ અને અસમમાં ઓફશોર અને ઓનશોર એક્સપ્લોરેશન પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમણે ગ્રૂપના ડિમર્જર ઉપર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, અમે મોટાભાગના ધિરાણકર્તાઓની મંજૂરી મેળવી લીધી છે અને વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં વેદાંતા ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાં અલગ થઇ શકે છે. વેદાંતા ઝારખંડમાં તેની સ્ટીલ એસેટના સંભવિત ખરીદદાર સાથે વાતચીતના અગ્રિમ તબક્કામાં છે. હિંદુસ્તાન  ઝીંક 100 બિલિયન ડોલરની કંપની બની શકે છે. વેદાંતા લિમિટેડનું દેવાનું સ્તર મેનેજ થઇ શકે તેવું છે. કુલ ઋણ કંપનીના નફાથી 1.5 ગણું ઓછું છે. કોનકોલા કોપર માઇન્સમાં ઇક્વિટી ડાઇલ્યૂટ કરવાની કોઇ યોજના નથી અને કંપનીનો રોકડ પ્રવાહ અને ઋણ ચૂકવણીનું મેનેજમેન્ટ પર્યાપ્ત છે. વેદાંતા રિસોર્સિસનું વેદાંતા લિમિટેડમાં હોલ્ડિંગ ઘટીને આશરે 61.5 ટકા થયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)