મનુભાઈ એન્ડ શાહ LLPએ 50 વર્ષની ઉજવણી કરી
અમદાવાદ, 5 જાન્યુઆરી: એકાઉન્ટિંગ ફર્મ મનુભાઈ એન્ડ શાહ LLPએ અમદાવાદમાં તેના 50 વર્ષના માઈલસ્ટોનની ઉજવણી કરી. વર્ષ 1975માં સ્થપાયેલ, ગોલ્બલ ક્લાયન્ટ બેઝ સાથે એક નેશનલ ફર્મ તરીકે વિકાસ પામી છે, જે ખાનગી વ્યવસાયોથી લઈને જાહેર વેપાર કરતી કંપનીઓ અને બિન-નફાકારક કંપનીઓને સેવા પ્રદાન કરે છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ભૂતપૂર્વ પ્રમુખ CA TN મનોહરનના વિશેષ સંબોધન સાથે સુવર્ણ જયંતિની ખાસ ઉજવણી કરવામાં આવી.
“ટુમોરોઝ ઈન્ડિયા એન્ડ ધ ફ્યુચર ઓફ ધ એકાઉન્ટિંગ પ્રોફેશન” વિષય પર બોલતા સીએ મનોહરને ભારતમાં એકાઉન્ટિંગના વિકસતા લેન્ડસ્કેપ પર આંતરદૃષ્ટિ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ભારત તેના વસ્તી વિષયક લાભ, રાજકીય સ્થિરતા, ગતિશીલ નીતિઓ અને સમૃદ્ધ ઉદ્યોગસાહસિક સ્પ્રિટ દ્વારા ઉત્તેજિત, પરિવર્તનશીલ વૃદ્ધિની ટોચ પર છે. ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનમાં તેની શક્તિઓ સાથે, ભારત માત્ર પ્રગતિનું સાક્ષી નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્રના ભવિષ્યને આકાર આપી રહ્યું છે. યુવાનોને સશક્ત બનાવીને અને તકોને સ્વીકારીને, ભારત વર્ષ 2047માં તેની સ્વતંત્રતાની શતાબ્દી તરફ કૂચ કરીને જે ઊંચાઈઓ હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી,”
એકાઉન્ટિંગ વ્યવસાયના ભાવિ વિશે બોલતા, તેમણે જણાવ્યું હતું કે, “એકાઉન્ટિંગ વ્યવસાય વ્યૂહાત્મક નિર્ણયો અને નેતૃત્વમાં મહત્વપૂર્ણ શક્તિ બનવા માટે સંખ્યા-ક્રંચિંગથી આગળ વધી રહ્યો છે. તકો વધી રહી છે. CA એક વ્યવસાય તરીકે કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે મજબૂત પાયો પૂરો પાડે છે. વિકસતા સમય સાથે પોતાને સંરેખિત કરવા માટે પુનઃ દિશાનિર્દેશ કરવાની જરૂર છે.”
પેઢીની પાંચ દાયકાની સફરને પ્રતિબિંબિત કરતાં, મનુભાઈ એન્ડ શાહ LLPના મેનેજિંગ પાર્ટનર કૌશિક પટેલે જણાવ્યું હતું કે, “બે ભાગીદારો સાથે વર્ષ 1975માં નાના વિઝન સાથે જે શરૂઆતા થઇ હતી, તે હવે 18 ભાગીદારોમાં વિકસી છે. જેને લાયકાત ધરાવતા વ્યવસાયિકોની ટીમ દ્વારા ટેકો મળે છે.
મનુભાઈ એન્ડ શાહ LLPના મેનેજિંગ પાર્ટનર ક્ષિતિજ પટેલે જણાવ્યું હતું કે, “અમે અમારો વ્યાપ વધારી રહ્યા છીએ અને આગામી થોડા વર્ષોમાં રાષ્ટ્રવ્યાપી વ્યાપ વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ કાર્યક્રમમાં અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બિઝનેસ લીડર્સ અને વેપાર અને ઉદ્યોગની અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી.