ભારત-UK FTAથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ બે વર્ષમાં 2.5 અબજ ડોલર અને દ્વિપક્ષીય વ્યાપાર 7 અબજ ડોલર પહોંચી જશે: GJEPC
નવી દિલ્હી, 10 મે: ભારત-યુકે દ્વારા મુક્ત વ્યાપાક સમજૂતી (FTA) પર કરવામાં આવેલ હસ્તાક્ષર એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે, જે બન્ને દેશ વચ્ચે લાંબા સમયથી આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધોને વધુ ઘનિષ્ઠ અને મજબૂત કરશે. GJEPCના અધ્યક્ષ કિરીટ ભણસાલીએ જણાવ્યું કે, “કેલેન્ડર વર્ષ 2024માં ભારતની બ્રિટનમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 941 મિલિયન ડોલર હતું, જેમાં એકલા જ્વેલરી સેક્ટરનું 400 મિલિયન યુએસ ડોલરનો સમાવેશ થતો હતો. જ્યારે બ્રિટનમાંથી થતી આયાત 2.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી, આમ દ્વિપક્ષીય વ્યાપાર 3.6 અબજ ડોલર થયો હતો. એફટીએના અમલીકરણની સાથે-ખાસ કરીને બ્રિટનમાં જ્વેલરી પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં છૂટથી આગામી બે વર્ષમાં ભારતની જ્વેલરીની નિકાસ વધીને 1 અબજ ડોલર અને કુલ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 2.5 અબજ ડોલર સુધી પહોંચી જાય તેવો અંદાજ છે.તેના પરિણામે આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય વ્યાપાર બે ગણી થઈને 7 અબજ ડોલર સુધી પહોંચે તેવી અપેક્ષા છે.
એફટીએથી વ્યાપારને લગતા અવરોધો દૂર થશે, લોજિસ્ટિકને સ્ટ્રીમલાઈન કરી શકાશે અને સ્પર્ધાત્મકતા સાથે વૈશ્વિક ગ્રાહકોને ઉત્તમ સેવા પૂરી પાડી શકશે. તેનાથી ભારતીય અને બ્રિટનના જ્વેલરી ઉત્પાદકો વચ્ચે ડિઝાઈનને લઈ સહયોગ કરી શકાશે અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ ઉત્તેજન મળશે. તેનાથી જ્વેલરના ઉત્પાદન તથા ડિઝાઈનમાં વધુ સર્વશ્રેષ્ઠતા સાથે વૈશ્વિક કેન્દ્રના સ્વરૂપમાં ભારતની સ્થિતિ મજબૂત બનશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)