બોન્ઝર7ની બ્રાન્ડ એમ્બેસડર તરીકે બોલિવૂડ સ્ટાર વાણી કપૂર જોડાઈ
અમદાવાદ, 13 જાન્યુઆરી: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની અગ્રણી ટાઇલ્સ બ્રાન્ડ બોન્ઝર7 એબોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને તેની બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ બોલિવૂડ સ્ટારને દર્શાવતું “ક્યા બાત હૈ” કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે. વાણી કપૂરને સાઇન કરીને બ્રાન્ડનો ઉદ્દેશ બજારમાં તેની ઉપલબ્ધતા ને વધુ વિસ્તારવાનો અને બહોળા ગ્રાહક વર્ગ, ખાસ કરીને યુવાનો સાથે જોડાવાનો છે.

યુવા અને ખુબજ ઝડપથી વિકાસ પામતી બ્રાન્ડ તરીકે બોન્ઝર7 તેની નવીનતમ અને સમૃદ્ધ પ્રોડક્ટ કલેક્શન્સ સાથે સમય કરતાં આગળ રહેવા માટે સમર્પિત છે. બ્રાન્ડ ડેકોરેટિવ, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી પ્રોડક્ટ્સમાં લીડર તરીકે અલગ તરી આવે છે. મોરબીની અગ્રણી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરતા તે સમકાલિન ટ્રેન્ડ્સ સાથે કિફાયતીપણાને ભેળવે છે જે તેને ગુણવત્તા અને સ્ટાઇલ બંને ઇચ્છતા લોકો માટે આદર્શ પસંદગી બનાવે છે.
આ સહયોગ અંગે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે અમારી બ્રાન્ડની વેલ્યુ અને એનર્જી વાણીની વાઇબ્રન્ટ પર્સનાલિટી અને મંત્રમુગ્ધ કરતી પર્સનાલિટી સાથે મેળ ખાય છે જે તેને એક આદર્શ જોડાણ બનાવે છે.
ભારતની સૌથી મોટી સિરામિક કંપનીઓ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે 2007માં તેની કામગીરી વિસ્તારી હતી અને બોન્ઝર7નું નિર્માણ કર્યું હતું. પ્રોફેશનલી મેનેજ્ડ બ્રાન્ડ તરીકે બોન્ઝર7 પ્રીમિયમ સિરામિક માર્કેટમાં એક જાણીતું નામ બની ગઈ છે. બોન્ઝર7 તેની અદ્વિતીય કારીગરી, આધુનિક ડિઝાઇન અને ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે. બ્રાન્ડની પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ મટિરિયલ્સ અને આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવે છે જે ટકાઉપણું અને લાંબા સમય સુધી રહેતી સુંદરતા સુનિશ્ચિત કરે છે.
