અમદાવાદ, 13 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2023-24 માટે GCCI ની 73મી વાર્ષિક સામાન્ય સભા અને નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અને અન્ય મુદ્દાઓને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને  અજયભાઈ પટેલે વર્ષ 2023-24 માટે GCCI ના નવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે  સંદીપ એન્જીનીયરે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને  મિહિર પટેલે ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વાર્ષિક સામાન્ય સભામાં કારોબારી સમિતિના નવા ચૂંટાયેલા સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.  પથિક પટવારી અને તેમની વર્ષ 2022-23 માટે પદાધિકારીઓની નવી ટીમ અને ચૂંટાયેલા કારોબારી સમિતિના સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

વાર્ષિક સામાન્ય સભા બાદ નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ,. જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા, જ્યારે Zydus ગ્રુપના ચેરમેન અને GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન  પંકજભાઈ પટેલ અતિથિ વિશેષ હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય  બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને તેમના આશીર્વાદ આપેલ હતા.

નવા ચૂંટાયેલા પ્રમુખ  અજયભાઈ પટેલે તેમના સંબોધનમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને તેમના પર મૂકેલા વિશ્વાસ બદલ તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ દરમિયાન લઘુ અને નાના વેપાર- ઉદ્યોગ એકમોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી એ પ્રાથમિકતા રહેશે. GCCI મોટા એકમો માટે પણ કામ કરશે અને મોટા ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો પ્રયાસ કરશે જેથી તેઓ વૈશ્વિક બજારોમાં સફળતાપૂર્વક સ્પર્ધા કરી શકે. GCCI ઉભરતા ક્ષેત્રો જેમ કે સંરક્ષણ, એરોસ્પેસ વગેરેમાં તકોને ઓળખવા અને તેનો લાભ લેવા માટે કામ કરશે અને રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપશે.

પથિક પટવારીએ આ કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો કે, પરિવર્તનને તક તરીકે જોવા અને પડકાર તરીકે નહીં અને હંમેશા લાબું વિચારવું જોઈએ અને વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખવા જોઈએ.

નવા ચૂંટાયેલા સિનિયર ઉપપ્રમુખ  સંદીપભાઈ એન્જીનીયરે તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે નવા પ્રમુખ  અજયભાઈ પટેલના નેતૃત્વમાં તેમના માટે આ શીખવાની મોટી તક હશે.  તેઓ GCCI અને તેના સભ્યોના લાભ માટે ઉપયોગ કરશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય  બ્રહ્મવિહારી સ્વામીજીએ જણાવ્યું હતું  કે સાચો નેતા અનુયાયીઓ બનાવતો નથી પરંતુ નવા નેતાઓ નું નિર્માણ કરે છે. સભ્યોને એકીકૃત રહેવા અને તેમના સપના અને આકાંક્ષાઓને સંરેખિત કરવા સૂચન કર્યું.

સમારોહના અતિથિ વિશેષ  પંકજભાઈ પટેલે ઉલ્લેખ કર્યો હતો કે ચેમ્બરે સરકાર સમક્ષ રજૂઆતો કરવાની સાથે  તેમના ઉકેલ પણ  રજૂ કરવા જોઈએ. ચેમ્બરે રજૂઆત કરતા પહેલા મુદ્દાના તમામ પાસાઓ વિશે વિચારવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું કે સરકારની જેમ ચેમ્બરે પણ મેનિફેસ્ટો બનાવવો જોઈએ અને દરેકને અસર કરે તેવા પ્રશ્નોના ઉકેલ માટે લક્ષ્યાંક બનાવવો જોઈએ તેમજ  દરેક સભ્યએ સમાજ અને તેના પ્રત્યેની જવાબદારીઓ વિશે વિચારવું જોઈએ.

આ મહત્વપૂર્ણ અવસર પર, GCCI ના નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. GCCI ના નવા લોગોમાં ગુજરાતનો નકશો, સૂર્ય કિરણો, એક ગિયર અને સિંહ દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી  અને પ્રસંગના મુખ્ય મહેમાન  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના મુખ્ય વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો કે એપ્રિલમાં રાજ્યનું GST કલેક્શન સૌથી વધુ હતું, જે દર્શાવે છે કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહનોને કારણે વેપાર અને ઉદ્યોગ સારી રીતે કાર્યરત છે અને સમૃદ્ધ બન્યું છે. તેમણે વિષેમાં જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ રાજ્યના દરેક ખૂણે ખૂણે પહોંચ્યો છે. અને તેઓએ આ વિકાસ ને જાળવવા ઉદ્યોગોને તેમના ઉત્પાદનોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ  કરી હતી . નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ  મિહિર પટેલે તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો કે, તેઓ તેમનો અમૂલ્ય સમય ફાળવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આભારવિધિ સાથે પદગ્રહણ સમારોહનું સમાપન કર્યું હતું.