મહિન્દ્રા મનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મનુલાઇફ બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 27 જૂનઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (“Mahindra Finance”) અને મનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મનુલાઇફ બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડ રજૂ કર્યું છે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમનો ઉદ્દેશ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝના પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનો છે.
મહિન્દ્રા મનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના એમડી અને સીઈઓ એન્થની હેરેડિયાએ જણાવ્યું હતું કે બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેક્ટર ભારતના આર્થિક ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અર્થતંત્ર ઔપચારિક થઈ રહ્યું છે અને નાણાંકીય સમાવેશકતા ગહન બની રહી છે ત્યારે આ સેક્ટર લાંબા ગાળાની માળખાકીય તકો પૂરી પાડે છે. અમારા બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડનો ઉદ્દેશ શિસ્તબદ્ધ, સંશોધન આધારિત રોકાણ અભિગમ સાથે આ સંભાવનાનો લાભ લેવાનો છે.
ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેક્ટર ભારતના ત્રીજા ભાગના માર્કેટ કેપિટલાઇઝેશન અને કોર્પોરેટ નફાના વધતા નફાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે આ ફંડ ઇન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ફિનટેક અને ડિજિટલ બ્રોકિંગ જેવા ઓછા પ્રસાર ધરાવતા સેગમેન્ટ્સમાં ઊભરતી તકોનો લાભ લેવા માટેની સ્થિતિમાં છે.
ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 27 જૂન, 2025ના રોજ ખૂલે છે અને 11 જુલાઈ, 2025ના રોજ બંધ થાય છે. સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી માટે 21 જુલાઈ, 2025થી ફરીથી ખૂલે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
